૨૪૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
શ્રી સમયસારાદિમાં મિથ્યાદ્રષ્ટિને અગીઆર અંગનું જ્ઞાન થવું લખ્યું છે.૧
પ્રશ્નઃ – જ્ઞાન તો એટલું હોય છે, પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન
થયું તેમ હોય છે?
ઉત્તરઃ – એ તો પાપી હતો જેને હિંસાદિની પ્રવૃત્તિનો ભય નથી, પરંતુ જે જીવ
ગ્રૈવેયકાદિમાં જાય છે તેને એવું જ્ઞાન હોય છે તે તો શ્રદ્ધાનરહિત નથી. તેને તો એવું તો
શ્રદ્ધાન છે જ કે – ‘આ ગ્રંથ સાચા છે’ પરંતુ તત્ત્વશ્રદ્ધાન સાચું ન થયું .શ્રી સમયસારમાં એક
જ જીવને ધર્મનું શ્રદ્ધાન, અગિયાર અંગનું જ્ઞાન તથા મહાવ્રતાદિનું પાલન લખ્યું છે શ્રી
પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે – ૨જેને આગમજ્ઞાન એવું થયું છે કે – જે વડે સર્વ પદાર્થોને
१. मोक्षं हि न तावदभव्यः श्रद्धते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात् । ततो ज्ञानमपि नासौ श्रद्धते,
ज्ञानमश्रद्धानश्चाचाराघेकादशांगं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्नज्ञानी स्यात् स किल गुणः श्रुताध्ययनस्य
यद्धिविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्धानस्यभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत ततस्तस्य
तद्गुणाभावाः ततश्च ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति प्रतिनियतः ।
અર્થઃ – અભવ્યજીવ પ્રથમ તો નિશ્ચયથી મોક્ષનું જ શ્રદ્ધાન કરતો નથી. કારણ શુદ્ધજ્ઞાન મય
આત્મતત્ત્વનું જ્ઞાન જ અભવ્યને નથી. તેથી અભવ્યજીવ જ્ઞાનને પણ શ્રદ્ધાનરૂપ કરતો નથી અને જ્ઞાનનું
શ્રદ્ધાન નહિ કરવાવાળો અભવ્ય આચારાંગાદિથી માંડીને અગિયાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભણતો હોવા છતાં
પણ શાસ્ત્ર ભણવાના ફળના અભાવથી જ્ઞાની થતો નથી. શાસ્ત્રાધ્યયનનો ગુણ (ફળ) તો એ છે કે--
ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય. એટલે તે ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધાન કરવાવાળો
અભવ્ય શાસ્ત્ર ભણવાથી પણ આત્મજ્ઞાન કરવાને સમર્થ થતો નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન
કરી શકતું નથી.) તેથી તેને શાસ્ત્ર ભણવાનું ફળ જે ભિન્ન આત્માને જાણવો તે તેને નથી અર્થાત્ સત્યાર્થ
જ્ઞાનશ્રદ્ધાનના અભાવથી તે અભવ્ય અજ્ઞાની જ છે એવો નિયમ છે.
(શ્રી સમયસાર ગા. ૨૭૪ની વ્યાખ્યા – અનુવાદક.)
२ यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं
जानन्तमात्मानं जानन् श्रद्धानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वानां यौगपधेऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा
शरीरादिमुर्च्छोपरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्क-
कीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्धयति । अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्व-
यौगपधमप्यकिंचित्करमेव ।।
અર્થઃ – જેમ હાથમાં રાખેલા નિર્મળ સ્ફટિકમણિનું અંતર બહારથી સારી રીતે દેખાય છે તેમ
જે પુરુષ સર્વ આગમનું રહસ્ય જાણે છે તથા આગમ અનુસાર ત્રિકાળવર્તી સર્વ પર્યાયો સહિત સંપૂર્ણ
દ્રવ્યોને જાણવાવાળા આત્માને જાણે છે – શ્રદ્ધાન કરે છે, આચરણ કરે છે, એમ જે પુરુષને આગમજ્ઞાન-
તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમરૂપ રત્નત્રયની એકતા પણ થઈ છે, પરંતુ જો તે કોઈ કાળમાં શરીરાદિ પરદ્રવ્યોમાં
રાગભાવરૂપ મળથી મલીન થયો થકો જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને વીતરાગ ઉપયોગભાવરૂપ અનુભવ કરતો
નથી તો તે એટલા માત્ર સૂક્ષ્મ મોહકલંકથી કીલિત કર્મોથી છૂટતો નથી – મુક્ત થતો નથી. તેથી આ