Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 238 of 370
PDF/HTML Page 266 of 398

 

background image
૨૪૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પ્રકારનું ચારિત્ર હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે.
कदाचिदनुकम्प्यमानाः, कदाचिदास्तिक्यमुद्वहन्तः शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानांव्युत्थापन-निरोधायन्यवृत्तयः,
नित्यबद्धपरिकराः उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना वारंवारमभिवर्धितोत्साहाः ज्ञानाचरणाय
स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपंचयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठुबहुमानमातन्वन्तो, निन्हवापत्तिं
नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रह-
समस्तविरतिरुपेषु पंचमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा,
ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरुपासु समितिध्वत्यन्तानिवेशितप्रयत्नास्तपआचरणायानशनावमौदर्यवृत्तयः वृत्तिपरिसंख्या-
नरसपरित्यागविविक्तशैयासनकायक्लेशेष्वभीक्ष्णामुत्सहमानाः, प्रायश्चितविनयवैयावृत्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरां-
कुशितस्वान्ता; वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वदूरनिवारिता-
ऽशुभकर्मप्रवृत्तोऽपि, समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां,
ज्ञानचेतनांमनागप्यसंभावयन्तः; प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तियः, सुरलोकादिक्लेशप्राप्तिपरम्परया सुचिरं
संसारसागरेभ्रमंतीति
અર્થઃજે જીવો કેવલમાત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જીવોને પરદ્રવ્યરૂપ ભિન્ન
સાધ્યસાધન ભાવની દ્રષ્ટિ છે. પણ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્યસાધન ભાવ નથી, તેથી
તેઓ એકલા વ્યવહારથી જ ખેદખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂપ ધર્માદિક પદાર્થોમાં શ્રદ્ધાનાદિક
અનેક પ્રકારની બુદ્ધિ કરે છે, ઘણા દ્રવ્યશ્રુતના પઠનપાઠનાદિ સંસ્કારોથી નાનાપ્રકારના વિકલ્પજાળોથી
કલંકિત અંતરંગ વૃત્તિને ધારણ કરે છે, અનેક પ્રકાર યતિનું દ્રવ્યલિંગ કે જે બાહ્યવ્રત
તપશ્ચર્યાદિક કર્મકાંડો
દ્વારા હોય છે તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે, દર્શનમોહના ઉદયથી વ્યવહારધર્મરાગના
અંશથી તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રુચિ કરે છે, કોઈ કાળમાં દયાવંત થાય છે, કોઈ કાળમાં અનેક
વિકલ્પો ઉપજાવે છે, કોઈ કાળમાં કાંઈક આચરણ કરે છે, કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ
ધરે છે, કોઈ કાળમાં વૈરાગ્યદશાને ધારણ કરે છે, કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં
ધર્મ પ્રત્યે આસ્તિક્યભાવ ધારણ કરે છે, શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદ્રષ્ટિ
આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈ પ્રવર્તે છે, કેવલ વ્યવહારનયરૂપ, ઉપબૃંહણ, સ્થિતિકરણ,
વાત્સલ્ય અને પ્રભાવનાદિ અંગોની ભાવના ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનભાવના અર્થે
પઠન
પાઠનનો કાળ પણ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે ઘણો આરંભ
પણ કરે છે, રૂડા પ્રકારે શાસ્ત્રનું બહુમાન કરે છે, ગુરુ આદિમાં ઉપકાર પ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ,
અક્ષર તથા અર્થ અને અક્ષરની એક કાળમાં એકતાની શુદ્ધતામાં સાવધાન રહે છે, ચારિત્ર ધારણ કરવા
અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીસેવન અને પરિગ્રહ એ પાંચ અધર્મોના સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં
સ્થિરવૃત્તિ ધારણ કરે છે, મન
વચનકાયાનો નિરોધ છે જેમાં એવી ત્રણ ગુપ્તિઓ વડે નિરંતર યોગનું
અવલંબન કરે છે. ઇર્યાભાષાએષણા આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત
છે, તપ આચરણ અર્થે અનશનઅવમૌદર્યવૃત્તિપરિસંખ્યાનરસપરિત્યાગવિવિક્તશય્યાસન, અને
કાયક્લેશ એ છ પ્રકારના બાહ્યતપોમાં નિરંતર ઉત્સાહ કરે છે, પ્રાયશ્ચિત્તવિનયવૈયાવૃતવ્યુત્સર્ગસ્વાધ્યાય
અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો અર્થે ચિત્તને વશ કરે છે. વીર્યાચાર અર્થે કર્મકાંડમાં પોતાની
સર્વશક્તિપૂર્વક પ્રવર્તે છે, કર્મચતેનાની પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ જેણે
તે જ શુભકર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા જીવો