Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 247 of 370
PDF/HTML Page 275 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૭
અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
છોડવું. શ્રી સમયસાર
કળશમાં પણ એ જ કહ્યું છે કે
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः
सम्यग्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम्
।।१७३।।
અર્થઃજેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા
એવું શ્રી જિનદેવે કહ્યું છે; તેથી હું એમ માનું છું કેજે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો
જ છોડાવ્યો છે તો સત્પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્કમ્પપણે અંગીકાર કરી
શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી?
ભાવાર્થઃઅહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે; માટે નિશ્ચયને અંગીકાર કરી
નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે.
વળી ષટ્પાહુડમાં પણ કહ્યું છે કે
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि;
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे
।।३१।। (મોક્ષપાહુડ)
અર્થઃજે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે
વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે.
વ્યવહારનય સ્વદ્રવ્યપરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણકાર્યાદિને કોઈના
કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો
ત્યાગ કરવો,
વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો
નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃજો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું
શું કારણ?
ઉત્તરઃજિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન
છે તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની
મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ