Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 252 of 370
PDF/HTML Page 280 of 398

 

background image
૨૬૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તો કેવી રીતે છે? બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો
પોતે કર્તા નથી, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું; એ
વ્રતાદિકમાં ગ્રહણત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેનો
પોતે કર્તા છે, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ
શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું, કારણ કે
બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ
થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે.
તેથી વ્રતઅવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણત્યાગનું કાંઈ પ્રયોજન
નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે; નીચલી દશામાં કેટલાક જીવોને
શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી
મોક્ષમાર્ગ કહ્યો છે,
પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. કેમ
કે આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું.
શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ
અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ
શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કેશુભોપયોગની અપેક્ષાએ
અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે. શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત
જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય
વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે,
કારણ કે
અશુદ્ધોપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય છે, તેથી
પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી
ક્રમપરિપાટી છે.
વળી કોઈ એમ માને છે કેશુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે, હવે ત્યાં જેમ
અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ
જો કારણ
કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ ઠરે; અથવા દ્રવ્યલિંગીને
શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે તેમને કારણ
કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પરોગ રહ્યો ત્યાં એ
અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે
અલ્પરોગ રહે ત્યારે નીરોગ
થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ જો અલ્પરોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન
કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો,
પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું