Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 258 of 370
PDF/HTML Page 286 of 398

 

background image
૨૬૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
૩. શ્રી જિનેન્દ્રદેવદ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ
છે. નર્કાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.
૪. કર્મોની પૂર્વસત્તા ઘટી અને અંતઃકોડાકોડીસાગર પ્રમાણ રહી જાય તથા નવીનબંધ
પણ અંતઃકોડાકોડીસાગર પ્રમાણે સંખ્યાતમા ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને
ક્રમથી ઘટતો જ જાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય; ઇત્યાદિ યોગ્ય
અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી
સમ્યક્ત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી *લબ્ધિસાર ગાથા ૩ માં
કહ્યું છે, માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા
આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં
તેને
‘આમ જ છે’ એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા
અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રીગુરુએ
તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે
આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર
કરતાં તેને ‘આમ જ છે’ એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા
અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. પણ તેનો ઉદ્યમ
તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.
૫. પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો
જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય
તે જ જીવને કરણલબ્ધિ થાય છે.
એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કેતે
તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રૂપ થઈ લગાવે તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા
જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ
તુરત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું
તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાનવડે દેખ્યું તેનું
કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.
એ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઅધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ; તેનું
વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ
છીએ
ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં
કરણનામ તો પરિણામનું છે.