Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 261 of 370
PDF/HTML Page 289 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૭૧
થઈ હતી પણ તે શિક્ષાનો વિચાર કર્યે ઘણો કાળ થઈ ગયો ત્યારે તેને ભૂલી, જેવી પહેલાં
અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ, ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય
છે, અથવા પહેલાં તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો કે
ન ઘણો કાળ ગયો પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ તે પ્રતીતિનો
અભાવ થઈ અન્યથાપણું થયું. એ પ્રમાણે અનેક પ્રકારથી તે શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ
થાય છે; તેમ જીવને શ્રીજિનદેવનો તત્ત્વાદિરૂપ ઉપદેશ થયો, તેની પરીક્ષા વડે તેને આ ‘આમ
જ છે’ એવું શ્રદ્ધાન થયું પણ પાછળથી પહેલાં જેમ કહ્યું હતું તેમ અનેક પ્રકારથી તે
યથાર્થશ્રદ્ધાનનો અભાવ થાય છે. આ કથન સ્થૂળપણાથી બતાવ્યું છે પરંતુ તારતમ્યતાથી તો
કેવળજ્ઞાનમાં ભાસે છે કે
‘આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી,’ કારણ કેઅહીં
(નિમિત્તમાં તો) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે, તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદિ કારણો
મળો વા ન મળો, સ્વયમેવ સમ્યક્શ્રદ્ધાનનો અભાવ થાય છે, તથા તેનો ઉદય ન હોય ત્યારે
અન્ય કારણ મળો વા ન મળો, સમ્યક્શ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ
સમય સમય સંબંધી સૂક્ષ્મદશાનું જાણવું. છદ્મસ્થને હોતું નથી તેથી તેને પોતાની મિથ્યા
સમ્યક્શ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી પણ કેવળજ્ઞાનમાં ભાસે છે, એ
અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે.
એ પ્રમાણે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તેને સાદિમિથ્યાદ્રષ્ટિ કહીએ છીએ, તેને પણ ફરી
સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત પાંચ લબ્ધિઓ થાય છે, વિશેષ એટલું કે અહીં કોઈ જીવને
દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તે ત્રણેનો ઉપશમ કરી તે પ્રથમોપશમસમ્યક્ત્વી
થાય છે, અથવા કોઈને સમ્યક્મોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી
તે ક્ષયોપશમસમ્યક્ત્વી થાય છે. તેને ગુણશ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતાં નથી; કોઈને
મિશ્રમોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત
થાય છે, તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ છૂટતાં દશા થાય છે.
ક્ષાયિકસમ્યક્ત્વને વેદકસમ્યગ્દ્રષ્ટિ જ પામે છે, તેથી તેનું કથન અહીં કર્યું નથી. એ પ્રમાણે સાદિ-
મિથ્યાદ્રષ્ટિનો જઘન્ય (કાળ) તો મધ્યમ અંતર્મુહૂર્તમાત્ર તથા ઉત્કૃષ્ટ કિંચિત્ન્યૂન અર્ધપુદ્ગલ-
પરાવર્તન માત્ર (કાળ) જાણવો.
જુઓ, પરિણામોની વિચિત્રતા! કેકોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાત-
ચારિત્ર પામી પાછો મિથ્યાદ્રષ્ટિ બની કિંચિત્ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારમાં રખડે
છે, ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી
अर्थ :अन्तरकरणका क्या स्वरूप है ? उत्तर :विवक्षितकर्मोंको अधस्तन और उपरिम स्थितियोंको
छोडकर मध्यवर्ती अन्तर्मुहूर्तमात्र स्थितियोंके निषेकोंका परिणाम विशेषके द्वारा अभाव करनेको अन्तरकरण कहते
हैं