Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 268 of 370
PDF/HTML Page 296 of 398

 

background image
૨૭૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્યપ્રકારે અક્ષરો
નીકળ્યા હતા અને અહીં ગ્રંથકર્તાએ અન્યપ્રકારે કહ્યા, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે.
નગર
વનસંગ્રામાદિકનાં નામાદિક તો જેમ છે તેમ જ લખ્યાં, પરંતુ ત્યાં વર્ણન હીનાધિક
પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચારાનુસાર કહે છે. જેમ ધર્મપરીક્ષામાં
મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ખપણાને
પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
પ્રશ્નઃઅયથાર્થ કહેવું તૌ જૈનશાસ્ત્રોમાં સંભવે નહિ?
ઉત્તરઃઅન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં
આવે. જેમકોઈને કહ્યું કે તું ફલાણાને ‘આ પ્રમાણે’ કહેજે, હવે તેણે તે જ અક્ષર તો ન
કહ્યા પરંતુ તે જ પ્રયોજનસહિત કહ્યા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું
કે
જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્યચિંતવન કર્યું હતું
તેનું સર્વ વર્ણન લખતાં ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ
ભાસે નહિ, માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચારાનુસાર થોડું ઘણું વૈરાગ્યપોષક જ કથન કરે
પણ સરાગપોષક ન કરે તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને અયથાર્થ કહેતા નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ
ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મપરિણતિની વિશેષતા થવાથી
ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું જ ફળ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે
પણ સમજવું.
વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દ્રઢ રાખી વા નમસ્કારમંત્રનું સ્મરણ કર્યું વા
અન્ય ધર્મસાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયાંઅતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ
નથી થયું પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવાં કાર્ય થયાં, તોપણ તેને તે શીલાદિકના જ
ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપકાર્ય કર્યું, તેને તેનું જ તેવું ફળ તો નથી
થયું પણ અન્ય કર્મના ઉદયથી નીચ ગતિ પ્રાપ્ત થઈ વા કષ્ટાદિક થયાં, છતાં તેને તે જ પાપના
ફળરૂપે નિરૂપણ કરે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
પ્રશ્નઃએમ જૂઠાં ફળ દર્શાવવાં તો યોગ્ય નથી, એવાં કથનને પ્રમાણ કેમ કરીએ?
ઉત્તરઃજે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી