તે તો અયોગ્ય છે. પરંતુ વાત્સલ્યઅંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી; પણ
એ છળવડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ
ગોવાળિયાએ મુનિને અગ્નિવડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને
દૂર કરતાં તો સહજ અવસ્થામાં જે શીતાદિકનો પરિષહ થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ
માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં તો ઊલટો ઉપસર્ગ
થાય છે એટલા માટે વિવેકી તો ત્યાં શીતાદિકનો ઉપચાર કરતા નથી; પરંતુ ગોવાળિયો
અવિવેકી હતો અને કરુણાવડે તેણે આ કાર્ય કર્યું તેથી તેની અહીં પ્રશંસા કરી, પણ તેથી
છળવડે બીજાઓએ ધર્મપદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. વળી જેમ
વજ્રકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહિ પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી, હવે મોટા મોટા
સમ્યગ્દ્રષ્ટિઓ રાજાદિકને નમન કરે છે તેમાં દોષ નથી, તથા મુદ્રિકામાં પ્રતિમા રાખવાથી
અવિનય થાય
પ્રશંસા કરી, પણ એ છળથી બીજાઓએ એવાં કાર્ય કરવાં યોગ્ય નથી. વળી કોઈ પુરુષોએ
પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ
અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે; તથા અંતરંગમાં પાપનું જ પ્રયોજન
છે તેથી પાપનો જ બંધ થાય છે, પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ
કુદેવાદિનું તો પૂજનાદિ તેણે ન કર્યું! એટલો જ તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા
કરીએ છીએ; પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મસાધન કરવું યોગ્ય નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ
હોય તેને યથાસંભવ સમજવાં, પરંતુ ભ્રમરૂપ થવું નહિ.
આત્માને કાર્યકારી જીવ
કંઈક ભાવ ભાસે, એ પ્રમાણે અહીં સંકોચ પૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. અહીં
ઉદાહરણ
કહ્યાં, જીવ જાણવાના અનેક પ્રકાર છે છતાં ત્યાં મુખ્ય ચૌદ માર્ગણાઓનું નિરૂપણ કર્યું;