Moksha Marg Prakashak (Gujarati). Charananuyogama Vyakhyananu Vidhan.

< Previous Page   Next Page >


Page 273 of 370
PDF/HTML Page 301 of 398

 

background image
આઠમો અધિકાર ][ ૨૮૩
પણ સમજવું. વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વપ્રકારરૂપ ન
જાણવું. જેમ મિથ્યાદ્રષ્ટિ અને સાસાદનગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા તથા અસંયતાદિ
ગુણસ્થાનવાળા જીવોને પુણ્યજીવ કહ્યા, એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી
તો બંનેમાં યથાસંભવ પાપ
પુણ્ય હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે
અન્ય પણ નાના પ્રકાર હોય છે તે યથાસંભવ સમજવા. એ પ્રમાણે કરણાનુયોગમાં વ્યાખ્યાનનું
વિધાન દર્શાવ્યું.
ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન
હવે ચરણાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએચરણાનુયોગમાં
જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો
નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે. તેનાં સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહારનયની
પ્રધાનતાથી નાનાપ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે; કારણ
કે નિશ્ચયધર્મમાં તો કાંઈ ગ્રહણ
ત્યાગનો વિકલ્પ નથી, તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો
નથી તેથી આ જીવને ધર્મવિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરાવવાનો
આમાં ઉપદેશ છે. એ ઉપદેશ બે પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ
છીએ તથા એક નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન
નથી વા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવો કંઈક ધર્મસન્મુખ
થતાં તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ, તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન છે
વા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થતું જણાય છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવોને વા સમ્યક્ત્વસન્મુખ
મિથ્યાદ્રષ્ટિ જીવોને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે શ્રીગુરુ તો સર્વ
જીવોના ઉપકારી છે. હવે અસંજ્ઞી જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી તેથી તેમનો
તો એટલો જ ઉપકાર કર્યો કે
અન્ય જીવોને તેમની દયા કરવાનો ઉપદેશ આપ્યો, તથા જે જીવ
કર્મની પ્રબળતાથી નિશ્ચયમોક્ષમાર્ગને પ્રાપ્ત થઈ શકતા નથી તેમનો એટલો જ ઉપકાર કર્યો કે
તેમને વ્યવહારધર્મનો ઉપદેશ આપી કુગતિનાં દુઃખોના કારણરૂપ પાપકાર્યો છોડાવી સુગતિનાં
ઇન્દ્રિયજનિત સુખોના કારણરૂપ પુણ્યકાર્યોમાં લગાવ્યા. ત્યાં જેટલું દુઃખ મટ્યું તેટલો તો ઉપકાર
થયો! વળી પાપીને તો પાપવાસના જ રહે છે અને એ કુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત
નહિ હોવાથી તે પરંપરાએ દુઃખ જ પામ્યા કરે છે; તથા પુણ્યવાનને ધર્મવાસના રહે છે અને
સુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત પ્રાપ્ત થાય છે તેથી પરંપરાએ સુખને પામે છે, અથવા
કર્મ શક્તિહીન થઈ જાય તો તે મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થઈ જાય છે, માટે તેમને વ્યવહારના
ઉપદેશવડે હિંસાદિ પાપથી છોડાવી પુણ્યકાર્યમાં લગાવે છે. વળી જે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત થયા
છે વા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે
તેમને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ
આપી મોક્ષમાર્ગમાં પ્રવર્તાવ્યા. એમ શ્રીગુરુ તો સર્વનો એવો જ ઉપકાર કરે છે, પરંતુ જે જીવોને