એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ.
છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો
ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્યક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત
વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસવડે વા
વૈરાગ્યભાવનાવડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્યક્રિયા પણ સુધરી જાય છે.
પરિણામ સુધરતાં બાહ્યક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો
ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં
સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ
તથા નિઃશંકિતાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ.
સમ્યગ્જ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ
પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ
જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ,
જેમ
છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ
અરહંતાદિક વિના અન્ય દેવાદિક જૂઠ ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ
નિરૂપણ કરીએ છીએ. સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો
ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે
જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્ચારિત્ર
અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદેશ તીવ્રરાગાદિકનો
અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી
મંદરાગથી શ્રાવક