Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 285 of 370
PDF/HTML Page 313 of 398

 

background image
આઠમો અધિકાર ][ ૨૯૫
કાં તો આત્માનુભવ કરીએ તો તેથી પોતાનું ભલું થાય.
સમાધાનઃપરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી
પણ ભક્તિ કરતાં જે મંદકષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમફળ થાય છે, હવે કરણાનુયોગના
અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ
થાય છે. વળી વ્રત
દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત સાધન છે અને કરણાનુયોગનો
અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે
અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ
કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટકતો
નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ
હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે.
એ વિચારો વર્તમાન રાગાદિક પણ ઘટાડે છે તથા ભાવી રાગાદિક ઘટાડવાનાં કારણ
છે. માટે અહીં (કરણાનુયોગમાં) ઉપયોગને જોડવો.
જીવકર્માદિકના નાના પ્રકારના ભેદ જાણે તેમાં રાગાદિ કરવાનું પ્રયોજન નથી તેથી
રાગાદિક વધતા નથી, અને વીતરાગ થવાનું પ્રયોજન તેમાં ઠામ ઠામ પ્રગટ છે તેથી રાગાદિ
મટાડવાનું એ કારણ છે.
પ્રશ્નઃકોઈ કથન તો એમ છે, પરંતુ દ્વીપ{સમુદ્રાદિ અને તેના યોજનાદિનું
તેમાં નિરૂપણ કર્યું છે તેથી શું સિદ્ધિ છે?
ઉત્તરઃતેને જાણતાં પણ કાંઈ તેમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતી નથી તેથી પૂર્વોક્ત
સિદ્ધિ થાય છે.
પ્રશ્નઃજો એમ છે, તો જેનાથી કાંઈ પ્રયોજન નથી એવા પાષાણાદિને પણ
જાણતાં ત્યાં ઇષ્ટઅનિષ્ટપણું માનતા નથી એટલે તે પણ કાર્યકારી થયું?
ઉત્તરઃસરાગી જીવ રાગાદિ પ્રયોજન વિના કોઈને જાણવાનો ઉદ્યમ કરે નહિ; જો
સ્વયમેવ તેનું જાણવું થાય તો અંતરંગ રાગાદિકના અભિપ્રાયવશ ત્યાંથી ઉપયોગને છોડાવવા
જ ઇચ્છે છે. અહીં ઉદ્યમપૂર્વક દ્વીપ
સમુદ્રાદિકને જાણે છે, ત્યાં ઉપયોગ લગાવે છે તેથી
રાગાદિ ઘટતાં એવું કાર્ય થાય છે. વળી પાષાણાદિકમાં જો આ લોકનું કોઈ પ્રયોજન ભાસી
જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ
સમુદ્રાદિકમાં આ લોક સંબંધી કોઈ કાર્ય નથી તેથી
તે રાગાદિકનું કારણ નથી.
જો સ્વર્ગાદિકની રચના સાંભળી ત્યાં રાગ થાય તો પરલોક સંબંધી થાય અને તેનું