Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 294 of 370
PDF/HTML Page 322 of 398

 

background image
૩૦૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો પરંતુ
પોતે દોષવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરું
જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ
ભલો છે! વળી અહીં એમ કહ્યું કે
‘દોષમય જ કેમ ન થયો?’ એ તો તર્ક કર્યો છે, પણ
કાંઈ સર્વદોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજું, એ ગુણવાન પુરુષને કિંચિત્ દોષ થવા
છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ
અને કોઈ દોષ જ હોય.
પ્રશ્નઃજો એમ છે તો ‘મુનિલિંગ ધારણ કરી કિંચિત્ પરિગ્રહ રાખે તો તે
પણ નિગોદમાં જાય એમ ષટ્પાહુડમાં શા માટે કહ્યું છે?
ઉત્તરઃઉચ્ચપદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા-
ભંગાદિ થવાથી મહાદોષ લાગે છે પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ--દોષ હોય તો ત્યાં
તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી.
વળી ઉપદેશસિદ્ધાંતરત્નમાળામાં કહ્યું છે કે‘આજ્ઞાનુસાર ઉપદેશ આપવાવાળાનો ક્રોધ
પણ ક્ષમાનો ભંડાર છે’ હવે એ ઉપદેશ વકતાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી
વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બૂરું જ થાય; એ ઉપદેશ તો શ્રોતાઓએ ગ્રહણ કરવા યોગ્ય
છે કે
કદાચિત્ વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કહી
છે, પણ જેને દાહ હોય વા અલ્પશીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુઃખ જ પામે;
તેમ કોઈને કોઈ કાર્યની અતિમુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ
આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પમુખ્યતા હોય તે એ ઉપદેશને
ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
हे चंद्रमः किमिति लांच्छनवान भूस्त्वं,
तद्वान् भवे किमिति तन्मय एव नाभू
किंज्योत्स्नयामलमलं तव घोषयन्त्या,
स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः
।।१४०।।
૧.जह, जायरूव, सरिसो तिलतुसमत्तं ण गिहदि हत्तेसु;
जइ लेइ अप्प, बहुचं तत्तो पुण जाइ णिग्गोदम्
।।१८।। (સૂત્રપાહુડ)
૨.रोसोवि खमाकोसो, सुत्तं भासंत जस्सधण्णस्स
उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो