વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ
ઊંચું છે. પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન થઈ જાય અને શ્રોતા ઊંચા થાય.
વળી તેનામાં તીવ્ર ક્રોધ
કરે અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો
સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય, તો
એમ કહે કે
દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જો પ્રકરણ
વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બૂરું થાય અને જૈનધર્મની નિંદા પણ
થાય. અર્થાત્ જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહિ, પછી કલ્યાણ તો ક્યાંથી
થાય? તથા જૈનમતની પ્રભાવના પણ થાય નહિ. વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની
પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ
કોણ કરે? ઉલટો જૈનધર્મને લજાવે. વળી તે કુલહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય
પણ મિષ્ટવચની તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય. જો એવો ન હોય તો
વક્તાપણાની મહત્તા શોભે નહિ. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રી
આત્માનુશાસનમાં પણ કહ્યું છે કેઃ
प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः
ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः
ઉપશમવંત હોય, પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, બાહુલ્યપણે અનેક
પ્રશ્નોનો સહન કરવાવાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પરના વા પર દ્વારા પોતાના
નિંદારહિતપણાવડે પરના મનનો હરવાવાળો હોય, ગુણનિધાન હોય અને સ્પષ્ટમિષ્ટ
જેનાં વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે.