Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 370
PDF/HTML Page 34 of 398

 

background image
વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય, કારણ કે
જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ, તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાયાનુસાર
વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ
ઊંચું છે. પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન થઈ જાય અને શ્રોતા ઊંચા થાય.
વળી તેનામાં તીવ્ર ક્રોધ
માન ન હોય, કારણ તીવ્ર ક્રોધી માનીની નિંદા જ થાય અને શ્રોતા તેનાથી
ડરતા રહે તો તેનાથી પોતાનું હિત કેમ થાય? વળી પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર
કરે અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો
સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય, તો
એમ કહે કે
મને તેનું જ્ઞાન નથી પણ કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી હું ઉત્તર આપીશ. અથવા કોઈ
અવસર પામી તમને કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ
દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જો પ્રકરણ
વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બૂરું થાય અને જૈનધર્મની નિંદા પણ
થાય. અર્થાત્ જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહિ, પછી કલ્યાણ તો ક્યાંથી
થાય? તથા જૈનમતની પ્રભાવના પણ થાય નહિ. વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની
પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ
કોણ કરે? ઉલટો જૈનધર્મને લજાવે. વળી તે કુલહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય
પણ મિષ્ટવચની તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય. જો એવો ન હોય તો
વક્તાપણાની મહત્તા શોભે નહિ. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રી
આત્માનુશાસનમાં પણ કહ્યું છે કેઃ
प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः,
प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः
प्रायःप्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया,
ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः
।।।।
અર્થઃજે બુદ્ધિમાન હોય, સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય,
લોકમર્યાદા જેને પ્રગટ થઈ હોય, આશા જેની અસ્ત થઈ હોય, કાંતિમાન હોય,
ઉપશમવંત હોય, પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, બાહુલ્યપણે અનેક
પ્રશ્નોનો સહન કરવાવાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પરના વા પર દ્વારા પોતાના
નિંદારહિતપણાવડે પરના મનનો હરવાવાળો હોય, ગુણનિધાન હોય અને સ્પષ્ટમિષ્ટ
જેનાં વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે.
૧૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક