Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 312 of 370
PDF/HTML Page 340 of 398

 

background image
૩૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું.
મોક્ષનો ઉપાય સંવર
નિર્જરા છે તેને ઓળખે તો જેમ સંવરનિર્જરા થાય તેમ પ્રવર્તે
માટે સંવરનિર્જરાનું શ્રદ્ધાન કરવું.
વળી સંવરનિર્જરા તો અભાવલક્ષણસહિત છે તેથી જેનો અભાવ કરવાની જરૂર છે
તેને ઓળખવો જોઈએ. જેમકેક્રોધનો અભાવ થતાં ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો
અભાવ ફરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આસ્રવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો
એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસ્રવ
બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવર
નિર્જરારૂપ પ્રવર્તે, માટે આસ્રવબંધનું પણ શ્રદ્ધાન કરવું.
એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય. એને ઓળખે તો તે
મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે
એ કરે? સંવર
નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આસ્રવબંધની ઓળખાણ
વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષમાર્ગ ન થાય.
એવી રીતે જોકે તત્ત્વાર્થ અનંત છે તેનું સામાન્યવિશેષવડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય
છે પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્ત્વ તથા
પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં.
કારણ કેએના યથાર્થશ્રદ્ધાનને આધીન મોક્ષમાર્ગ છે, એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન
હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષમાર્ગ નથીએમ જાણવું.
વળી કોઈ ઠેકાણે પુણ્યપાપ રહિત નવ પદાર્થ કહ્યા છે, એ પુણ્યપાપ આસ્રવાદિકનાં
જ ભેદો છે માટે એ સાત તત્ત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્યપાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને
મોક્ષમાર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે તેથી મોક્ષમાર્ગમાં એનું શ્રદ્ધાન પણ
ઉપકારી જાણી એ બે તત્ત્વો આસ્રવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં
એને નવ તત્ત્વ પણ કહ્યાં છે.
પ્રશ્નઃએનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકનમાત્ર
છે તથા શ્રદ્ધાન પ્રતીતિમાત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે?
ઉત્તરઃપ્રકરણના વશથી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષમાર્ગનું પ્રકરણ છે
તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકનમાત્ર ગ્રહણ કરવો નહિ; કારણ કે ચક્ષુ
અચક્ષુદર્શનવડે સામાન્ય અવલોકન તો સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિને સમાન હોય છે, તેથી એ
વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ
અપ્રવૃત્તિ થતી નથી. તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યગ્દ્રષ્ટિને જ
હોય છે અને એ વડે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં
શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો.