નવમો અધિકાર ][ ૩૨૫
છોડવા શા માટે ઇચ્છે? તે રાગાદિકનું ફળ તે જ બંધ છે તથા રાગાદિ રહિત પરિણામોને
ઓળખે છે તો તે રૂપ થવા ઇચ્છે છે, તે રાગાદિરહિત પરિણામનું નામ જ સંવર છે. વળી
પૂર્વ સંસારઅવસ્થાના કારણની હાનિને તે ઓળખે છે તેથી તેના અર્થે તપશ્ચરણાદિ વડે શુદ્ધભાવ
કરવા ઇચ્છે છે. તે પૂર્વ સંસારઅવસ્થાનું કારણ કર્મ છે, તેની હાનિ તે જ નિર્જરા છે. જો
સંસારઅવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંવર – નિર્જરારૂપ શા માટે પ્રવર્તે? તે સંસાર-
અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. તેથી સાતે તત્ત્વોનું શ્રદ્ધાન થતાં જ રાગાદિક છોડી શુદ્ધ
ભાવ થવાની ઇચ્છા ઊપજે છે. જો એમાંના એક પણ તત્ત્વનું શ્રદ્ધાન ન હોય તો એવી ઇચ્છા
ન થાય. એવી ઇચ્છા તુચ્છજ્ઞાની તિર્યંચાદિ સમ્યગ્દ્રષ્ટિને હોય છે જ, તેથી તેને સાત તત્ત્વોનું
શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે
તત્ત્વોનું જ્ઞાન ન હોય તોપણ દર્શનમોહના ઉપશમાદિક સામાન્યપણે તત્ત્વશ્રદ્ધાનની શક્તિ પ્રગટ
હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ નથી.
✾ વિષય કષાયાદિક વખતે પણ સમ્યકત્વીને તત્ત્વશ્રદ્ધાન ✾
પ્રશ્નઃ — જે કાળમાં સમ્યગ્દ્રષ્ટિ વિષય – કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં
તેને સાત તત્ત્વોનો વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યક્ત્વ
તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ આવે છે.
ઉત્તરઃ — વિચાર છે તે તો ઉપયોગને આધીન છે. જ્યાં ઉપયોગ જોડાય તેનો જ
વિચાર થાય, પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે માટે અન્ય જ્ઞેયનો વિચાર થતાં વા
શયનાદિક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી
નથી; તેથી તેને સમ્યક્ત્વનો સદ્ભાવ છે.
જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે — ‘હું મનુષ્ય છું, તિર્યંચાદિ નથી, મને
આ કારણથી રોગ થયો છે, અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નિરોગી થવું જોઈએ;’
હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે, ત્યારે તેને એવો વિચાર હોતો નથી,
પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ છે કે — ‘હું આત્મા
છું – પુદ્ગલાદિ નથી, મને આસ્રવથી બંધ થયો છે પણ હવે સંવરવડે નિર્જરા કરી મોક્ષરૂપ
થવું.’ હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી,
પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે.
પ્રશ્નઃ — જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાનાં કારણોમાં કેમ પ્રવર્તે છે?
ઉત્તરઃ — જેમ તે જ મનુષ્ય કોઈ કારણવશ રોગ વધવાનાં કારણોમાં પણ પ્રવર્તે છે,
વ્યાપારાદિકાર્ય વા ક્રોધાદિકાર્ય કરે છે, તોપણ તે શ્રદ્ધાનનો તેને નાશ થતો નથી, તેમ તે જ
આત્મા કર્મોદયનિમિત્તવશ બંધ થવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વિષયસેવનાદિકાર્ય વા ક્રોધાદિકાર્ય