Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 324 of 370
PDF/HTML Page 352 of 398

 

background image
૩૩૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
એ કારણોને મેળવે, તેમાં ઘણા જીવોને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ, કોઈને ન થાય તો
ન પણ થાય, પરંતુ તેણે તો પોતાનાથી બને તે ઉપાય કરવો.
એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણનિર્દેશ કર્યું.
પ્રશ્નઃસમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં તમે તત્ત્વાર્થ -
શ્રદ્ધાન-લક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃતુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ
ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ
ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. એ અહીં દર્શાવીએ છીએ
દેવગુરુધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે અરહંતદેવાદિકને માનવા,
અન્યને ન માનવાએટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવઅજીવનું વા બંધમોક્ષના
કારણકાર્યનું સ્વરૂપ ભાસે નહિ તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; વા જીવાદિનું
શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને, વા કુદેવાદિ
પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે.
વળી સ્વપરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે છે કે સ્વપરનું જાણવું જ
કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી
અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આસ્રવાદિનું શ્રદ્ધાન થયા વિના
માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો
ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે.
તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કેએક આત્માનો જ વિચાર
કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે, પણ ત્યાં જીવઅજીવાદિના વિશેષો વા
આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી,
વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી
પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો
જ ભ્રમ ઊપજે છે.
એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યાં નહિ.
અને તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં જીવ
અજીવાદિ વા આસ્રવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે
સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, તથા એ શ્રદ્ધાન થતાં
સમ્યક્ત્વી થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી
મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય
કર્યું છે.