મોહનીયરૂપે વા સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમાવે છે, ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય
છે, માટે અનાદિ મિથ્યાદ્રષ્ટિને એક મિથ્યાત્વપ્રકૃતિની સત્તા છે, અને તેનો જ ઉપશમ થાય
છે. વળી સાદિમિથ્યાદ્રષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કોઈને એકની જ સત્તા
છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તો ત્રણની
સત્તા છે, તથા જેને મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની ઉદ્વેલના થઈ ગઈ હોય અર્થાત્
તેના પરમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયાં હોય તેને એક મિથ્યાત્વની જ સત્તા છે; માટે
સાદિમિથ્યાદ્રષ્ટિને ત્રણ પ્રકૃતિઓનો વા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે.
ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમવિધાનથી જે તે
કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી
શકે એવા કર્યા.
એમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમોપશમસમ્યક્ત્વ છે તે ચતુર્થાદિથી માંડી સાતમા
ઉપશમ થાય છે. કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે. અહીં પણ અંતરકરણ-
વિધાનથી વા ઉપશમવિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે એ જ ઉપશમ છે. તે આ
દ્વિતીયોપશમસમ્યક્ત્વ સાતમા આદિથી માંડી અગીયારમા ગુણસ્થાન સુધી હોય છે તથા ત્યાંથી
પડતાં કોઈને છઠ્ઠે, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ રહે છે એમ જાણવું.
દર્શનમોહનો ઉદય આવે છે એમ જાણવું.