નવમો અધિકાર ][ ૩૪૩
સમ્યક્ત્વ-માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. એ જ પ્રમાણે સાસાદન અને મિશ્ર પણ સમ્યક્ત્વના
ભેદ નથી, સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે, એમ સમજવું.
અહીં કર્મના ઉપશમાદિકથી ઉપશમાદિસમ્યક્ત્વ કહ્યાં પણ કર્મનાં ઉપશમાદિક કાંઈ
આનાં કર્યાં થતાં નથી, માટે આ જીવ તો તત્ત્વશ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે અને તેના નિમિત્તથી
કર્મનાં ઉપશમાદિક તો સ્વયમેવ થાય છે ત્યારે તેને તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, એમ સમજવું.
એ પ્રકારથી સમ્યક્ત્વના ભેદ જાણવા. એ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહ્યું.
હવે સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહીએ છીએ.
✾
સમ્યગ્દર્શનનાં આL અંગ ✾
નિઃશંકિતત્ત્વ, નિઃકાંક્ષિતત્ત્વ, નિઃર્વિચિકિત્સત્વ, અમૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ,
પ્રભાવના અને વાત્સલ્ય — એ સમ્યક્ત્વનાં આઠ અંગ છે. ૧ – ભયનો અભાવ અથવા તત્ત્વોમાં
સંશયનો અભાવ તે નિઃશંકિતત્ત્વ છે. ૨ – પરદ્રવ્ય આદિમાં રાગરૂપ વાંછાનો અભાવ
તે નિઃકાંક્ષિતત્ત્વ છે. ૩ – પરદ્રવ્ય આદિમાં દ્વેષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. ૪ –
તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢદ્રષ્ટિત્વ છે.
૫ – આત્મધર્મ વા જિનધર્મને વધારવો તેનું નામ ઉપબૃંહણ છે, તથા એ જ અંગનું નામ
ઉપગૂહન પણ કહીએ છીએ, ત્યાં ધર્માત્મા જીવોના દોષને ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ
સમજવો. ૬ – પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરને સ્થાપન કરવો તે સ્થિતિકરણ
અંગ છે. ૭ – પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાત્મ્ય પ્રગટ કરવું, તે પ્રભાવના છે.
૮ – પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મા જીવોમાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે. એ
પ્રમાણે આઠ અંગ જાણવાં.
જેમ મનુષ્યશરીરનાં હાથ – પગ આદિ અંગ છે તેમ આ પણ સમ્યક્ત્વનાં અંગ છે.
પ્રશ્નઃ — કેટલાક સમ્યગ્દ્રષ્ટિ જીવોને પણ ભય, ઇચ્છા અને ગ્લાનિ આદિ હોય
છે તથા કોઈ મિથ્યાદ્રષ્ટિને તે નથી હોતાં, તેથી એ નિઃશંકિતાદિને સમ્યક્ત્વનાં અંગ કેમ
કહો છો?
ઉત્તરઃ — જેમ મનુષ્યશરીરનાં હાથ – પગ આદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ મનુષ્ય
એવા પણ હોય છે કે જેમને હાથ – પગ આદિ કોઈ અંગ હોતાં નથી છતાં તેને મનુષ્યશરીર
તો કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન વા સકળ કાર્યકારી થતો નથી; તેમ
સમ્યક્ત્વના નિઃશંકિતાદિ અંગ કહીએ છીએ ત્યાં કોઈ સમ્યગ્દ્રષ્ટિ એવા પણ હોય છે કે જેમને
નિઃશંકિતત્વાદિમાંનાં કોઈ અંગ ન હોય છતાં તેમને સમ્યક્ત્વ તો કહેવામાં આવે છે. પરંતુ
એ અંગો વિના તે સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. વળી જેમ વાંદરાને પણ