૩૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
હાથ – પગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને હોય છે તેવાં હોતાં નથી; તેમ
મિથ્યાદ્રષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત
સમ્યગ્દ્રષ્ટિને હોય છે તેવાં હોતાં નથી.
સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ
તથા સમ્યક્ત્વમાં પચીસ મળ કહે છે — શંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા
અને છ અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દ્રષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે
છે પણ સમ્યક્ત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યક્ત્વ મલિન જ થાય છે – એમ સમજવું.
વળી......
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામ શાસ્ત્રમાં ‘મોક્ષમાર્ગનું સ્વરૂપ’
એ નામનો નવમો અધિકાર સમાપ્ત
❁