Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 338 of 370
PDF/HTML Page 366 of 398

 

background image
૩૪૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપશમક્ષયક્ષયોપશમથી સ્વપરના યથાર્થશ્રદ્ધાનરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય ત્યારે તે જીવ
સમ્યક્ત્વી થાય છે. માટે સ્વપરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે.
વળી જો સ્વપરનું શ્રદ્ધાન નથી અને જૈનમતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને
માને છે તથા સાત તત્ત્વોને માને છે, અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માનતો નથી
તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વવડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ
પર
ભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.
વળી એવા સમ્યક્ત્વી થતાંની સાથે, જે જ્ઞાન [પૂર્વે] પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા
ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ, કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિશ્રુતરૂપ
સમ્યગ્જ્ઞાન થયું. સમ્યગ્દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યગ્જ્ઞાનરૂપ છે.
એ [સમ્યગ્દ્રષ્ટિ] જો કદાચિત્ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે
આવરણજનિત ઔદયિક અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ
સમ્યગ્જ્ઞાન જ છે, કેમકે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યગ્જ્ઞાન
કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (
વાદળ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે
તે સર્વ પ્રકાશનો અંશ છે.
જે જ્ઞાન મતિશ્રુતરૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ થાય છે,
તેથી સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે.
વળી એ સમ્યગ્દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે.
ત્યાં જે પરિણામ વિષયકષાયાદિરૂપ વા પૂજાદાનશાસ્ત્રાભ્યાસાદિકરૂપ પ્રવર્તે છે તે
સવિકલ્પરૂપ જાણવા.
પ્રશ્નઃજ્યાં શુભઅશુભરૂપ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું
અસ્તિત્વ કેવી રીતે હોય?
સમાધાનઃજેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય
પણ કહે છે, હર્ષવિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતાં તે પોતાની અને શેઠની
આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ મારું કામ
નથી.’ એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે; પણ તે શેઠના ધનને ચોરી તેને
પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય; તેને કર્મોદયજનિત શુભાશુભરૂપ કાર્યનો કર્તા
થઈ તદ્રૂપ પરિણમે, તોપણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે ‘આ કાર્ય મારાં નથી.’
જો દેહાશ્રિત વ્રત
સંયમને પણ પોતાનાં માને (અર્થાત્ પોતાને તેનો કર્તા માને) તો તે
મિથ્યાદ્રષ્ટિ થાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે.