Moksha Marg Prakashak (Gujarati). Parishisht-4 Upadan-nimittani Chiththi (pandit Banarasidasaji Rachit).

< Previous Page   Next Page >


Page 352 of 370
PDF/HTML Page 380 of 398

 

background image
૩૬૨ ]
પરિશિષ્ટ ૪
ઉપાદાનનિમિત્તની ચિÕી
[કવિવર પં૦ બનારસીદાસજી લિખિત]
પ્રથમ જ કોઈ પૂછે કે નિમિત્ત શું? ઉપાદાન શું?
તેનું વિવરણઃ
નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજશક્તિ.
તેનું વિવરણઃએક દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન, બીજું પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન.
તેનું વિવેચનઃદ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) ગુણભેદ કલ્પનારૂપ છે.
પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાન (વસ્તુમાં) પરયોગ કલ્પનારૂપ છે. તેની ચૌભંગીઃ
પ્રથમ ગુણભેદ કલ્પનારૂપ ચૌભંગીનો વિસ્તાર કહીએ છીએ તે શ્રવણ કરોઃ
જીવદ્રવ્યના અનંત ગુણ, સર્વગુણ અસહાય, સ્વાધીન અને સદાકાળ (શાશ્વત છે.) તેમાં મુખ્ય
બે ગુણ પ્રધાન સ્થાપ્યા, તે પર ચૌભંગીનો વિચારઃ
એક તો જીવનો જ્ઞાનગુણ અને બીજો જીવનો ચારિત્રગુણ. એ બન્ને ગુણ શુદ્ધરૂપભાવ
જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા અને યથાયોગ્ય સ્થાનકે (ગુણસ્થાને) માનવા. તેનું વિવરણઃ
એ બંને ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી અને સત્તા ન્યારી
ન્યારી.
તેનું વિવેચનઃજ્ઞાનગુણની તો જ્ઞાનઅજ્ઞાનરૂપ ગતિ, સ્વપરપ્રકાશક શક્તિ, જ્ઞાન
(સમ્યગ્જ્ઞાન) રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ, તથા દ્રવ્યપ્રમાણ સત્તા છે, પરંતુ એક વિશેષ એટલું
કે જ્ઞાનરૂપ જાતિનો કદી નાશ થતો નથી; અને મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ
થતાં થાય છે. આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો.
હવે ચારિત્રગુણનું વિવેચન કહે છેઃચારિત્રગુણની સંક્લેશવિશુદ્ધરૂપ ગતિ,
સ્થિરતાઅસ્થિરતારૂપ શક્તિ, મંદતીવ્રરૂપ જાતિ, અને દ્રવ્યપ્રમાણ સત્તા છે. તેમાં એટલું
વિશેષ કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યંત હોય છે, અને તીવ્રતાની સ્થિતિ પાંચમા
ગુણસ્થાન સુધી હોય છે.
આ તો જ્ઞાનચારિત્ર બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા. હવે તેની વ્યવસ્થાઃ
જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બંને અસહાયરૂપ છેએવી તો
મર્યાદા બંધાયેલી છે.