Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 370
PDF/HTML Page 41 of 398

 

background image
ઉદ્યોત કર્યો. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરમ્પરા પ્રવર્તે છે, તેમ એ ગ્રન્થો
ઉપરથી આચાર્યાદિકોથી અન્ય ગ્રન્થો રચાયાં. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યાં. એ પ્રમાણે
ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરમ્પરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું
છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્યધ્વનિ વા સર્વ ગ્રન્થો
માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા
નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ દીપકનો
માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા
મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશક-
પણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું ‘મોક્ષમાર્ગપ્રકાશક’ એ નામ સાર્થક જાણવું.
પ્રશ્નઃમોક્ષમાર્ગના પ્રકાશક પૂર્વ ગ્રન્થો તો હતા જ, તમે નવીન ગ્રન્થ શા માટે
બનાવો છો?
ઉત્તરઃજેમ મોટા દીપકોનો ઉદ્યોત ઘણા તેલાદિકના સાધન વડે રહે છે, પણ જેને
ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી
તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે, તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે
રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું
સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ.
વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા
હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ
ન્યાયાદિક, નયપ્રમાણાદિકનું વા વિશેષ અર્થોનું
જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રન્થોનો તો અભ્યાસ બની શકે નહિ તથા કોઈ નાના ગ્રન્થોનો અભ્યાસ
બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં
આવે છે, તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું.
વળી જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન
અવલોકે તથા જેમ કોઈ કોઢીઆને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે તેમ સંસારપીડિત
જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો
મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કેઃ
साहीणे गुरुजोगे जे ण सुणंतीह धम्मवयणाइ
ते धिट्ठदुट्ठचित्ता अह सुहडा भवभयविहुणा ।।
અર્થઃસ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ
ધર્મવાક્યોને નથી સાંભળતો તે ધીઠ અને દુષ્ટચિત્ત છે. અથવા જે સંસારભયથી શ્રી
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૨૩