Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 370
PDF/HTML Page 42 of 398

 

background image
તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે.
વળી પ્રવચનસારમાં જ્યાં ‘‘મોક્ષમાર્ગ અધિકાર’’ કહ્યો ત્યાં પણ પ્રથમ આગમજ્ઞાન જ
ગ્રહણ કરવા યોગ્ય કહ્યું છે, માટે આ જીવનું તો મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોનું
શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ
થાય છે, જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન
વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ
કરવા યોગ્ય છે. વળી આ ગ્રન્થનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે, કોઈ
વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું
કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં
પીઠબંધ પ્રરૂપક નામનો પ્રથમ અધિકાર સમાપ્ત
૨૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક