શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ
થાય છે, જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન
વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ
કરવા યોગ્ય છે. વળી આ ગ્રન્થનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે, કોઈ
વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું
કલ્યાણ થશે.