Moksha Marg Prakashak (Gujarati). Adhikar Bijo Sansar-avastha Niroopan Karmabandhan Roganu Nidan Karmano Sambandha Anadikalathi Chhe.

< Previous Page   Next Page >


Page 15 of 370
PDF/HTML Page 43 of 398

 

background image
અધિકાર બીજો
સંસાર-અવસ્થા નિરુપણ
કર્મબંધાન રોગનું નિદાન
મિથ્યાભાવ અભાવથી, જે પ્રગટે નિજભાવ,
તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાવ.
હવે આ ગ્રંથમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ
છે. આ આત્માને અનાદિકાળથી કર્મબંધન છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર
કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી
તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત
દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. વળી
સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ
વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે
આ પ્રમાણે આ રોગ થયો છે.
તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે જેથી તેને નિશ્ચય થાય કે
મને એવો જ રોગ છે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની
તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી
મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે; એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધનયુક્ત
જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે
આ પ્રમાણે કર્મબંધન થયું છે. વળી એ
કર્મબંધનના નિમિત્તથી તેને જે જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય
થાય કે મને એ જ પ્રમાણે કર્મબંધન છે. તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે
બતાવીએ છીએ અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ; એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે.
હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું
કર્તવ્ય છે.
કર્મનો સંબંધા અનાદિકાળથી છે
તેથી અહીં પ્રથમ જ તેને કર્મબંધનનું નિદાન બતાવીએ છીએ.
કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિકભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ
એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસારઅવસ્થા છે. એ સંસાર-
અવસ્થામાં અનન્તાનન્ત જીવદ્રવ્ય છે. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. પણ એમ નથી
[ ૨૫