✾ ઘાાતિ – અઘાાતિ કર્મ અને તેનાં કાર્ય ✾
હવે તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં છે. ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી
તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં જ્ઞાનાવરણ – દર્શનાવરણવડે જીવના જ્ઞાન
– દર્શનસ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ જ્ઞાન – દર્શનની
વ્યક્તતા રહે છે. મોહનીયવડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાન વા ક્રોધ, માન, માયા
અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના
સામર્થ્યરૂપ જે વીર્ય – તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ રહે
છે. એ પ્રમાણે ઘાતિકર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ
ન સમજવું કે પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી
સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો.
પ્રશ્નઃ — ઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલાં સદ્ભાવ હોય તેનો
અભાવ કહેવો બને, પરંતુ અહીં સ્વભાવનો તો સદ્ભાવ છે જ નહિ તો પછી ઘાત કોનો
કર્યો?
ઉત્તરઃ — જીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય
તો કેવળજ્ઞાનાદિ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે તેથી
એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની
અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ.
વળી ચાર અઘાતિકર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે.
ત્યાં વેદનીયવડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખ – દુઃખના કારણરૂપ
પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મવડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ
છૂટી શકતો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે, તથા ગોત્રકર્મવડે ઊંચ
– નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણ અઘાતિકર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે,
જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખી – દુઃખી થાય છે. વળી શરીરાદિકના સંબંધથી
જીવનો અમૂર્ત્તત્વાદિસ્વભાવ પોતાના સ્વ – અર્થને કરી શકતો નથી. જેમ કોઈ શરીરને પકડે તો
આત્મા પણ પકડ્યો જાય છે. વળી જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી બાહ્ય સામગ્રી પણ
તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્ત જાણવું.
✾ નિર્બળ જMકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાાત
તથા બાıાસામગ્રીનું મળવું ✾
પ્રશ્નઃ — કર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો
ઘાત થવો વા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે?
૨૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક