છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ
હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં
તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે.
માટે યોગવડે થયેલો પ્રકૃતિબંધ
થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા
કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય
નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ
ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘‘હું આમ પરિણમું’’
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા
વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ
રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની
ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે, એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ
પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું’ તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ
નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત
રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવડે પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ
શક્તિ થાય છે. અહીં વિચારવડે પોતાના ઉદ્યમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી,
પણ તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ
પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું.