Moksha Marg Prakashak (Gujarati). Dravayakarma Ane Bhavkarma Nokarmanu Swaroop Ane Teni Pravrutti.

< Previous Page   Next Page >


Page 24 of 370
PDF/HTML Page 52 of 398

 

background image
દ્રવ્યકર્મ અને ભાવકર્મ
તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલદ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે,
તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વક્રોધાદિરૂપ જીવના પરિણામ છે
તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ
થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ
અને ભાવકર્મથી દ્રવ્યકર્મ
એ જ પ્રમાણે પરસ્પર કારણકાર્યભાવવડે સંસારચક્રમાં પરિભ્રમણ
થાય છે.
એટલું વિશેષ જાણવું કે તીવ્રમંદ બંધ હોવાથી વા સંક્રમણાદિ થવાથી વા એક કાળમાં
બાંધ્યાં અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યાં એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં
તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ
ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર
મંદ કષાયોના
અનુસારે પૂર્વે બાંધેલા કર્મોનું પણ સંક્રમણાદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિ કાળથી માંડી
ધારા પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી.
નોકર્મનું સ્વરુપ અને તેની પ્રવૃત્તિ
વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત્ સુખદુઃખનું કારણ છે,
માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીં ‘નો’ શબ્દ ઇષત્ (અલ્પતા) વાચક જાણવો. હવે શરીર
તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્યઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છ્વાસ અને વચન એ
શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુદ્ગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા
દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી
જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ
થાય છે ત્યારે તે શરીરનો સંબંધ છૂટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે.
વળી તેના અનન્તર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન
શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યંત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે
મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને
નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જોકે અસંખ્યાત પ્રદેશી
છે તોપણ સંકોચ
વિસ્તાર શક્તિવડે શરીરપ્રમાણ જ રહે છે. વિશેષ એટલું કેસમુદ્ઘાત થતાં
શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે તથા અંતરાલ સમયમાં પૂર્વ શરીર છોડ્યું હતું
તેના પ્રમાણરૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્યઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને
જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી
દુઃખી
થાય છે. કોઈ વેળા તો જીવની ઇચ્છાનુસાર શરીર પ્રવર્તે છે તથા કોઈ વેળા શરીરની
5
૩૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક