થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ
અને ભાવકર્મથી દ્રવ્યકર્મ
તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ
ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર
ધારા પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી.
તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્યઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છ્વાસ અને વચન એ
શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુદ્ગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા
દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી
જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ
થાય છે ત્યારે તે શરીરનો સંબંધ છૂટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે.
વળી તેના અનન્તર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન
શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યંત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે
મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને
નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જોકે અસંખ્યાત પ્રદેશી
છે તોપણ સંકોચ
તેના પ્રમાણરૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્યઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને
જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી