Moksha Marg Prakashak (Gujarati). Vedaniy Karmodayjanya Avastha Aayukarmodayjanya Avastha.

< Previous Page   Next Page >


Page 34 of 370
PDF/HTML Page 62 of 398

 

background image
પણ કિંચિત્માત્ર મળે છે. ઘણું દાન દેવા ઇચ્છે છે પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઇચ્છે
પણ થોડો જ લાભ થાય. જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણોની જરૂર
પડે છે. એ પ્રમાણે ઘાતિ કર્મોના ઉદયથી આત્માની અવસ્થા થાય છે.
વેદનીયકર્મોદયજન્ય અવસ્થા
અઘાતિ કર્મોમાં વેદનીયકર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખદુઃખનાં કારણો નીપજે છે.
શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ,
પીડા ઇત્યાદિ સુખ
દુઃખનાં કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ૠતુ
પવનાદિક વા ઇષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ તથા અણગમતાં ૠતુપવનાદિક વા અનિષ્ટ સ્ત્રી,
પુત્ર, શત્રુ, દારિદ્ર્ય, વધ, બંધનાદિક સુખદુઃખનાં કારણો મળી આવે છે. એ બાહ્યકારણો કહ્યાં
તેમાં કોઈ કારણ તો એવાં છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખદુઃખનું કારણ હોય
છે, અને એ જ સુખદુઃખનું કારણ થાય છે. વળી કોઈ કારણ એવાં છે કે પોતે જ સુખ
દુઃખનું કારણ થાય છે. એ પ્રમણે કારણોનું મળવું વેદનીયકર્મના ઉદયથી થાય છે. ત્યાં
સાતાવેદનીયના ઉદયથી સુખનાં કારણો મળી આવે છે તથા અસાતાવેદનીયના ઉદયથી દુઃખનાં
કારણો મળી આવે છે. અહીં એમ સમજવા યોગ્ય છે કે
એ કારણો જ કાંઈ સુખદુઃખ ઉપજાવતાં
નથી, પણ મોહકર્મના ઉદયથી આત્મા પોતે જ સુખદુઃખ માને છે. વેદનીયકર્મના ઉદયને અને
મોહનીયકર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે
તો સુખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે તથા જ્યારે અસાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે
ત્યારે દુઃખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને
દુઃખનું કારણ થાય છે. જેમ કોઈને સાતાવેદનીયના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય
છે તેવું વસ્ત્ર કોઈને અસાતાવેદનીયના ઉદયથી મળતાં દુઃખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ
તો સુખ
દુઃખનું નિમિત્ત માત્ર છે. સુખ
દુઃખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી
મુનિજનોને અનેક ૠદ્ધિ આદિ તથા પરિષહ આદિ કારણો મળવા છતાં પણ સુખદુઃખ ઊપજતું
નથી, તથા મોહી જીવને કારણ મળો વા ન મળો તોપણ પોતાના સંકલ્પથી જ સુખદુઃખ થયા
કરે છે. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતાં તીવ્ર સુખદુઃખ થાય છે તે જ કારણો મળતાં
મંદ મોહીને મંદ સુખદુઃખ થાય છે. માટે સુખદુઃખ થવાનું મૂળ બળવાન કારણ
મોહકર્મનો ઉદય છે અન્ય વસ્તુ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના
પરિણામોને નિમિત્તનૈમિત્તિકની મુખ્યતા હોય છે, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ
દુઃખનું કારણ માને છે. એ પ્રમાણે વેદનીયકર્મના ઉદયથી સુખદુઃખનાં કારણો નીપજે છે.
આયુકર્મોદયજન્ય અવસ્થા
આયુકર્મના ઉદયવડે મનુષ્યાદિ પર્યાયોની સ્થિતિ રહે છે. જ્યાંસુધી આયુકર્મનો ઉદય રહે
૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક