Moksha Marg Prakashak (Gujarati). Namkarmodayjanya Avastha.

< Previous Page   Next Page >


Page 35 of 370
PDF/HTML Page 63 of 398

 

background image
છે ત્યાંસુધી રોગાદિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી, તથા જ્યારે
આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી. પણ
તે જ વખતે આત્મા અને શરીર જુદાં થઈ જાય છે. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું
કારણ આયુકર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય
છે. વળી ત્યાં પણ જ્યાંસુધી આયુનો ઉદય રહે ત્યાંસુધી તે પર્યાયરૂપ પ્રાણોના ધારણથી જીવવું
થાય છે અને આયુનો ક્ષય થતાં એ પર્યાયરૂપ પ્રાણોના છૂટવાથી મરણ થાય છે. સહજ જ એવું
આયુકર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો નથી
એવો નિશ્ચય કરવો. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે પછી તેને છોડી
કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ
કરી રહે પછી તેને છોડી અન્ય શરીર ધારણ કરે છે. માટે શરીરસંબંધની અપેક્ષાએ જન્માદિક
છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય જ છે, તોપણ મોહી જીવને ભૂત
ભવિષ્યનો વિચાર નથી,
તેથી પામેલ પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે
છે. એ પ્રમાણે આયુકર્મ વડે પર્યાયની સ્થિતિ જાણવી.
નામકર્મોદયજન્ય અવસ્થા
નામકર્મના ઉદયથી આ જીવને મનુષ્યાદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. તે પર્યાયરૂપ પોતાની
અવસ્થા થાય છે. ત્યાં ત્રસસ્થાવરાદિક ભેદ હોય છે. તથા ત્યાં એકેન્દ્રિયાદિ જાતિને ધારણ
કરે છે. એ જાતિકર્મના ઉદયને અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્તનૈમિત્તિકપણું જાણવું.
જેવો ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે. વળી શરીરનો સંબંધ હોય છે, ત્યાં શરીરના પરમાણુ
અને આત્માના પ્રદેશોનું એક બંધાન થાય છે, તથા સંકોચ
વિસ્તારરૂપ થઈને આત્મા શરીરપ્રમાણ
રહે છે. નોકર્મરૂપ શરીરમાં અંગોપાંગાદિકનાં યોગ્ય સ્થાન પ્રમાણસહિત હોય છે. એ વડે જ
સ્પર્શન, રસના આદિ દ્રવ્યઇન્દ્રિયો નીપજે છે. વા હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળા ખીલેલા
કમળના આકાર જેવું દ્રવ્યમન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિના વિશેષ વા વર્ણાદિકના
વિશેષ હોવા છતાં સ્થૂલસૂક્ષ્મત્વાદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરિણમેલા
પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોચ્છ્વાસ અથવા સ્વર નીપજે છે એ પણ પુદ્ગલના
પિંડ છે તથા એ શરીરથી એક બંધાનરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે.
શ્વાસોચ્છ્વાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ
જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યંતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય
રહે. માટે શ્વાસોચ્છ્વાસ જીવિતવ્યનું કારણ છે. જેમ આ શરીરમાં હાડ
માંસાદિક છે તેમ પવન
પણ છે. વળી જેમ હાથ વગેરે વડે કાર્ય કરીએ છીએ તેમ પવન વડે પણ કાર્ય કરીએ છીએ.
મોઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ અને મળાદિક પણ પવનથી જ બહાર કાઢીએ
છીએ. એમ અન્ય પણ જાણવું.
બીજો અધિકારઃ સંસાર-અવસ્થા નિરૂપણ ][ ૪૫