જે બહુ વિધિ ભવ દુઃખતણી, કરે છે સત્તા નાશ.
પ્રકારનાં દુઃખ છે એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ
વૈદ્ય રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી
પછી તેનો ઇલાજ કરવાની રુચિ કરાવે છે તેમ અહીં પણ પ્રથમ સંસારરોગનું નિદાન તથા એ
સંસારરોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસારરોગનો નિશ્ચય કરાવી તેનો ઉપાય
કરવાની રુચિ કરાવે છે.
કરે, પણ એથી દુઃખ દૂર થાય નહિ. એટલે તરફડી-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન
કરે છે, એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી તેને જેમ વૈદ્ય દુઃખનું મૂળ કારણ બતાવે , દુઃખનું
સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ બતાવે ત્યારે જ સાચો ઉપાય કરવાની
રોગીને રુચિ થાય; તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું
મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી. અને દુઃખ સહ્યું પણ જતું નથી,
ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, પણ એથી દુઃખ દૂર થાય નહિ એટલે તરફડી
-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે. એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ
બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જુઠાપણું બતાવીએ તો તેને સાચો ઉપાય
કરવાની રુચિ થાય. એ વર્ણન કરીએ છીએ.
જેથી વસ્તુસ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતાં અન્યથા જ જાણવું થાય છે. ચારિત્રમોહના
ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન