ઇન્દ્રિયોને પ્રબળ કરવાથી કાંઈ વિષયગ્રહણની શક્તિ વધતી નથી, એ તો જ્ઞાન
એવી શક્તિ ઓછી જોવામાં આવે છે, તથા કોઈનું શરીર દુર્બળ હોવા છતાં તેનામાં એવી શક્તિ
અધિક જોવામાં આવે છે. માટે ભોજનાદિક વડે ઇન્દ્રિયો પુષ્ટ કરવાથી કાંઈ સિદ્ધિ થતી નથી,
પરંતુ કષાયાદિક ઘટવાથી કર્મનો ક્ષયોપશમ થતાં જ્ઞાન
પોતાના આધીન રાખી જલદી જલદી ગ્રહણ કરવા ઇચ્છે છે પણ તે પોતાના આધીન રહેતા
નથી, કારણ કે એ જુદાં જુદાં દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે વા કર્મોદય આધીન
પરિણમે છે. હવે એવા પ્રકારના કર્મનો બંધ યથાયોગ્ય શુભભાવ થતાં જ થાય અને પછી
ઉદયમાં આવે છે, એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. જુઓ, અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના
નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપત્
ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ
જીવ એવાં વલખા મારે છે, પણ પરિણામે શું સિદ્ધિ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ
મળ્યો પણ તેથી તેની ભૂખ મટે? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું
ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઇચ્છા મટ્યા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા
ઉપાય જૂઠા છે.
તેમ દુઃખ મટ્યા પછી અન્ય વિષયોને શા માટે ઇચ્છે? જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઇચ્છા
શાંત થાય
ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષયગ્રહણની ઇચ્છા થતી જોવામાં આવે છે, તેને સુખ માનવું
એ કેવું છે? જેમ કોઈ મહાક્ષુધાવાન રંક પોતાને કદાચિત્ એક અન્નનો કણ તેનું ભક્ષણ કરી
ચેન માને તેમ આ મહાતૃષ્ણાવાન જીવ પોતાને કોઈ એક વિષયનું નિમિત્ત મળતાં તેનું ગ્રહણ
કરી સુખ માને છે પણ વાસ્તવિકપણે એ સુખ નથી.