કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે.
તે અહીં કહીએ છીએ.
રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકનાં કારણ મટાડવાનો, ભયમાં
ભયનાં કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાનાં કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે
રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે રમવાનો તથા નપુંસકવેદમાં સ્ત્રી
છે, કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ
ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી પરંતુ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો
કરવાની ઇચ્છા છતાં એક પણ ઉપાય ન બની શકતો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ.
કાર્યસંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાંસુધી એ
કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાંસુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય
સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક સમયમાત્ર પણ જીવ નિરાકુળ
રહેતો નથી. જેમ કોઈ ક્રોધવડે અન્યનું બૂરું થવું ઇચ્છતો હતો, તેનું બૂરું થતાં પાછો કોઈ
અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બૂરું ઇચ્છવા લાગ્યો. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે
તો તે પોતાનાથી નાનાઓનું બૂરું ચાહતો હતો, અને ઘણી શક્તિ થતાં પોતાનાથી મોટાઓનું
બૂરું ચાહવા લાગ્યો, એ જ પ્રમાણે માન
થોડી શક્તિ હતી ત્યારે નાનાં નાનાં કાર્યોને સિદ્ધ કરવા ઇચ્છતો હતો અને ઘણી શક્તિ થતાં
મોટાં મોટાં કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થયો. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો