અપેક્ષાએ પોતાને સુખી માને, પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. તેમ આ જીવ ઘણાં દુઃખોવડે
ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુઃખની કંઈક કાળ પૂરતી
કિંચિત્ ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે
સુખી નથી.
કરે, પણ એ બધા ઉપાયો જૂઠા છે.
કરી રહ્યા છે છતાં કોઈને થોડો પ્રયત્ન કરતાં વા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ
જાય છે અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં કાર્યસિદ્ધિ થતી નથી. તેથી જણાય છે કે એનો
ઉપાય આ જીવને આધીન નથી.
તેને ભોગવવાની ઇચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થતાં
તે વસ્તુ જ્યાંસુધી ન મળે ત્યાંસુધી તો તેની ઇચ્છા વડે વ્યાકુળ થાય છે તથા એ વસ્તુ મળતાં
તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે. જેમ
કોઈને સ્વાદ લેવાની ઇચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો
સ્વાદ લેવાની વા સ્પર્શનાદિ કરવાની ઇચ્છા ઉપજે છે.
ભોગવવાની ઇચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઇચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી
તે જ સમયે તેની સાથે રમવાની ઇચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતાં પણ
તેને અન્ય ઉપાય કરવાની ઇચ્છા થાય તો તેને છોડી એ અન્ય ઉપાય કરવા લાગી જાય.
ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા હોય છે.
શ્લેષ્માદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને પણ એ
સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાંસુધી ક્ષુધાદિક રહે ત્યાં સુધી તેને