ગોમ્મટસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ
ગ્રંથોના ભાષાટીકાકાર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે
પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂકા જીવનમાં
સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોના પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે. અને
એ વાત તેમના રચેલા આ ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી
જાય તેમ છે.
દેશભાષામય ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ એવો અદ્ભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને
સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ
ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દ્રષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે
આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને
હિતકારક છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે.
પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય
શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાનું સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથની સાર્થકતા
બતાવી છે.
સંબંધ, તે કર્મોના ‘ઘાતિ-અઘાતિ’ એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ,
જડ પુદ્ગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ
કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથેસાથ કર્મોનાં ફલદાનમાં
નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો
ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુઃખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર
કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે.