અ. ૧. સૂત્ર ૧૨-૧૩] [૪૩ સન્મુખ જે ભાવશ્રુતજ્ઞાન છે (તે જોકે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ) તેને વિશેષ કથનમાં પ્રત્યક્ષ કહ્યું છે.
જો મતિ અને શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોત તો સુખ-દુઃખાદિનું જે સંવેદન (જ્ઞાન) થાય છે તે પણ પરોક્ષ હોત, પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. (જુઓ, શ્રી બૃહદ્-દ્રવ્યસંગ્રહ ગાથા પ-નીચે ટીકા. હિંદી પાનું ૧૩ થી ૧પ, ઈંગ્લિશ પાનું ૧૭-૧૮.) ઉત્સર્ગ = સામાન્ય, General ordinance-સામાન્ય નિયમ; અપવાદ = ખાસ નિયમ, Exception-વિશેષ.
અપવાદનું કથન નથી કર્યું. (જુઓ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા પ૭ નીચે હિંદી ટીકા પાનું-ર૧૧) એ રીતે જ્યાં ઉત્સર્ગકથન હોય ત્યાં અપવાદકથન ગર્ભિત છે-એમ સમજવું. ૧૧.
[प्रत्यक्षम] પ્રત્યક્ષ પ્રમાણ છે.
અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. [પ્રત્યક્ષ = પ્રતિ × અક્ષ] ‘અક્ષ’નો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઈંદ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. ૧ર.
[अभिनिबोध] અભિનિબોધ, [इति] ઈત્યાદિ [अनर्थांतरम्] અન્ય પદાર્થો નથી અર્થાત્ તે મતિજ્ઞાનનાં નામાંતર છે.
મતિઃ– મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે.