અ. ૧. સૂત્ર ૧૭-૧૮] [પ૭
અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪,
પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, (૪×૬) = ૨૪
છે. ।। ૧૬।।
વસ્તુના) છે.
આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે. કોઈ કહે કે-‘રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.’ આ કહેવું બરાબર નથી- એમ અહીં બતાવ્યું છે. ‘ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે’ એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે ‘મેં રૂપ જોયું, મેં ગંધ સૂંઘી;’ પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યોયો સાથે થતો નથી. ।। ૧૭।।
અવગ્રહ-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી.
વ્યંજનાવગ્રહઃ– અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે.
અર્થાવગ્રહ–વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે.