Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 655
PDF/HTML Page 121 of 710

 

અ. ૧. સૂત્ર ૨૦] [૬૩ (૭) ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત

શ્રુતજ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષાએ ભેદ પડે છે; અને તેના નિમિત્તમાં પણ ભેદ પડે છે. ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત એ બન્નેમાં બે, અનેક અને બાર ભેદ પડે છે. ભાવશ્રુતને ભાવાગમ પણ કહી શકાય છે, અને તેમાં દ્રવ્યઆગમ નિમિત્ત હોય છે. દ્રવ્ય આગમ (શ્રુત) ના બે ભેદ-૧-અંગપ્રવિષ્ટ અને ર-અંગબાહ્ય છે; અંગ- પ્રવિષ્ટના બાર ભેદ છે. (૮) અનક્ષરાત્મક અને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન

અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદ-પર્યાયજ્ઞાન અને પર્યાયસમાસ છે. સૂક્ષ્મ નિગોદિયા જીવને ઉત્પન્ન થતી વખતે જે પહેલે સમયે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન હોય છે તે પર્યાયજ્ઞાન છે. બીજો ભેદ પર્યોયસમાસ છે. સર્વ જઘન્ય જ્ઞાનથી અધિક જ્ઞાનને પર્યાયસમાસ કહે છે. [તેના અસંખ્યાત લોકપ્રમાણ ભેદ છે.] નિગોદિયા જીવને સમ્યક્ શ્રુતજ્ઞાન હોતું નથી પણ મિથ્યાશ્રુત હોય છે; માટે આ બે ભેદ સામાન્ય શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે એમ સમજવું. (૯) સમ્યક્ અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં; સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક છદ્મસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શવડે કોઈ વસ્તુનું જાણવું થયું તે મતિજ્ઞાન છે; અને તેના સંબંધથી ‘આ હિતકારી નથી’ ઇત્યાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે.

(૧૦) પ્રમાણના બે પ્રકાર

પ્રમાણના- બે પ્રકારનાં છે-૧-સ્વાર્થ પ્રમાણ, ર-પરાર્થ પ્રમાણ. સ્વાર્થ પ્રમાણ તો જ્ઞાનસ્વરૂપ છે અને પરાર્થ પ્રમાણ વચનરૂપ છે. શ્રુત સિવાયના ચાર જ્ઞાન સ્વાર્થ પ્રમાણ છે. શ્રુતપ્રમાણ સ્વાર્થ-પરાર્થ બન્નેરૂપ છે, તેથી જ્ઞાનરૂપ અને વચનરૂપ છે. શ્રુત ઉપાદાન છે, વચન તેનું નિમિત્ત છે. [વિકલ્પનો સમાવેશ વચનમાં થઈ જાય છે.] પરાર્થપ્રમાણનો અંશ તે ‘નય’ છે.

[જુઓ, પંચાધ્યાયી ભાગ-૧ પૃ.-૩૪૪ શ્રી દેવકીનંદનકૃત; જૈન સિદ્વાંત દર્પણ પાનું-૨૨;

રાજવાર્તિક-પાનું-૧પ૩; સર્વાર્થસિદ્વિ પાનું-પ૬ અધ્યાય-૧ સૂત્ર-૬] (૧૧) ‘શ્રુ’તનો અર્થ

શ્રુતનો અર્થ ‘સાંભળેલો વિષય’ અથવા ‘શબ્દ’ એવો થાય છે. જોકે