અ. ૧. સૂત્ર ૨૨] [૬૭
क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम्।। २२।।
અનુગામી, અનનુગામી, વર્દ્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છ ભેદવાળું છે, અને તે [शेषाणाम्] મનુષ્ય તથા તિર્યંચને થાય છે.
(૧) અનુગામી–જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને
વર્દ્ધમાન–જે અવધિજ્ઞાન શુક્લપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને
(૨) મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થંકરો ન લેવા, બીજા
મનુષ્યો સમજવા; તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ‘ગુણપ્રત્યય’ પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજ્ર, સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. (૩) અવધિજ્ઞાનના *પ્રતિપાતિ, ×અપ્રતિપાતિ, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ
એવા ભેદો પણ પડે છે. (૪) +જઘન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્યો અને તિર્યંચને થાય છે; (દેવ-
નારકીને થતું નથી) ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવમુનિને જ થાય છે, અન્ય તીર્થંકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહી; તેમને દેશાવધિ થાય છે. _________________________________________________________________ *પ્રતિપાતિ=પડી જાય તેવું; × અપ્રતિપાતિ = ન પડે તેવું. +જઘન્ય=સૌથી થોડું.