Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 655
PDF/HTML Page 126 of 710

 

૬૮] [મોક્ષશાસ્ત્ર (પ) દેશાવઘિ એ ઉપર [પારા ૧ માં] કહેલા છ પ્રકાર તથા પ્રતિપાતિ અને

અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું હોય છે. પરમાવધિ અનુગામી, અનનુગામી, વર્દ્ધમાન, અવસ્થિત, અનવસ્થિત અને અપ્રતિપાતી હોય છે. (૬) અવધિજ્ઞાન રૂપી– પુદ્ગલ તથા તે પુદ્ગલના સંબંધવાળા સંસારી જીવ (ના

વિકારી ભાવ) ને પ્રત્યક્ષ જાણે છે. (૭) દ્રવ્ય અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય–એક જીવના ઔદારિક શરીર

સંચયના લોકાકાશ-પ્રદેશપ્રમાણ ખંડ કરતાં તેના એક ખંડ સુધીનું જ્ઞાન હોય છે.
દ્રવ્ય અપેક્ષાએ સર્વાવધિજ્ઞાનનો વિષય– એક પરમાણ સુધી જાણે છે.
[જુઓ, સૂત્ર ૨૮ ટીકા]
દ્રવ્ય અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય–જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના
દ્રવ્યોના ભેદોને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-ઉત્સેધાંગુલના
[આઠ યવ
મધ્યના] અસંખ્યાતમાં ભાગ સુધીના ક્ષેત્રને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય–અસંખ્યાત લોકપ્રમાણ સુધી
ક્ષેત્રને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના
ક્ષેત્રભેદોને જાણે છે.
કાળ અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-(જઘન્યથી) આવલિના
અસંખ્યાતભાગપ્રમાણ ભૂત અને ભવિષ્યને જાણે છે.
કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ અતીત
ને અનાગત કાળ ને જાણે છે.
કાળ અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય–જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના
કાળભેદોને જાણે છે.
ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય–પહેલાં દ્રવ્યપ્રમાણ નિરૂપણ કરેલ
દ્રવ્યોની શક્તિને જાણે છે.
[શ્રી ધવલા પુસ્તક ૧, પાનું ૯૩-૯૪]

(૮) કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે એમ સમજવું, એટલે કે જીવ પોતાના

પુરુષાર્થથી પોતાના જ્ઞાનનો વિશુદ્ધ અવધિજ્ઞાનપર્યાય પ્રગટ કરે છે તેમાં પોતે જ
કારણ છે. અવધિજ્ઞાન વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વયં હોય એટલો