૭૦] [મોક્ષશાસ્ત્ર
વિપુલમતિ-એવા બે પ્રકારનું છે.
(૧) મનઃપર્યયજ્ઞાનની વ્યાખ્યા નવમા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત
(મનમાં રહેલાં) મૂર્તિક દ્રવ્યોને, તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. (૨) દ્રવ્ય અપેક્ષાએ મનઃપર્યયજ્ઞાનનો વિષય–જઘન્યરૂપથી એક સમયમાં થતા
એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધરૂપ*દ્રવ્યના અનંત ભાગોમાંથી એક
ભાગ સુધી જાણી શકે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–જઘન્યરૂપે બે, ત્રણ કોશ સુધીના ક્ષેત્રને
જાણે; અને ઉત્કૃષ્ટરૂપે મનુષ્યક્ષેત્રની અંદર જાણી શકે. [વિષ્કંભરૂપ મનુષ્યક્ષેત્ર
ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે-જાણે છે.
ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–દ્રવ્યપ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને
(ભાવને) જાણે છે.
આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર(-નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. [શ્રી સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪પ૧-૪પ૨] બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ ‘મન’ કહેવામાં આવે છે; તેના પર્યાયો (વિશેષો) ને મનઃપર્યય કહે છે, તેને જે જ્ઞાન જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. મનઃપર્યયજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. _________________________________________________________________
સમયપ્રબદ્ધ કહે છે.