અ. ૧. સૂત્ર ૨૩] [૭૧
ઋજુમતિઃ– મનમાં ચિંતવન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિ; અને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે.
વિપુલમતિઃ– ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વક્રચિંતિત અને અવક્રચિંતિત પદાર્થને પણ જાણે છે.
૨૮-૨૯] ‘વિપુલ’નો અર્થ વિસ્તીર્ણ-વિશાળ-ગંભીર થાય છે. [તેમાં કુટિલ, અસરળ, વિષમ, સરળ વગેરે ગર્ભિત છે.) વિપુલમતિજ્ઞાનમાં ઋજુ અને વક્ર (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. પોતાનાં તથા પરનાં જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાની જાણે છે.
કાળ અપેક્ષાએ ઋજુમતિનો વિષય–જઘન્યપણે ભૂત-ભવિષ્યના બે ત્રણ ભવ પોતાના અને બીજાના જાણે, ઉત્કૃષ્ટપણે સાત-આઠ ભવ તે મુજબ જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે કોશ અને ઉત્કૃષ્ટપણે ત્રણથી ઉપર અને, નવથી નીચે યોજનની અંદર જાણે છે, તેથી બહાર નહિ.
કાળ અપેક્ષાએ વિપુલમતિનો વિષય–જઘન્યથી સાત-આઠ ભવ આગલા- પાછલા જાણે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ આગલા-પાછલા જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન–જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે યોજન પ્રમાણ જાણે; ઉત્કૃષ્ટપણે માનુષોત્તર પર્વતની અંદર જાણે-તેથી બહાર નહિ.
Complex direct knowledge of complex mental things. e. g. of what a man is thinking of now along with what he has thought of it in the past and will think of it in the future. [પાનું-૪૦]
અર્થઃ– આંટીઘૂંટી વાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષજ્ઞાન જેમકે-એક માણસ વર્તમાનમાં શું વિચારે છે. તેની સાથે ભૂતકાળમાં તેણે શું