Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 655
PDF/HTML Page 158 of 710

 

અ. ૧. પરિ. ૧] [૧૦૧ સમલ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે. અહીં જે મલપણું છે તેનું તારતમ્યસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય છે. આ અપેક્ષાએ તે સમ્યક્ત્વ નિર્મળ નથી. અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૩પ-૩૩૬-૩૪૬]

આ બધાં સમ્યક્ત્વમાં જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચાદિકને તથા કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કહ્યો છે, કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્ત્વોની સમાન માન્યતા છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૨૩]

સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારસમ્યક્ત્વમાં નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે-નિરંતર ગમન (પરિણમન) રૂપ છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩પ૦]

(૧૮)
સમ્યક્ત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે પાંચ ભેદ પણ પાડવામાં આવે છે

૧- સમલ અગાઢ, ર-નિર્મળ, ૩-ગાઢ, ૪-અવગાઢ અને પ-પરમ અવગાઢ. વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે, ઔપશમિક અને ક્ષાયિક્ સમ્યક્ત્વ નિર્મળ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે. અંગ અને અંગબાહ્ય સહિત જૈનશાસ્ત્રોના અવગાહન વડે નીપજેલી દ્રષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે; શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે. પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યક્ત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ છે.

[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૩૩-૩૩૪]
“ઔપશમિક સમકિત કરતાં ક્ષાયિક સમકિત અધિક વિશુદ્ધ છે.”
[જુઓ, તત્ત્વાર્થ રાજ્વાર્તિક અધ્યાય ર સૂત્ર ૧ નીચેની કારિકા ૧૦-૧૧, તથા તેની નીચે

સંસ્કૃત ટીકા]

“ ક્ષાયોપશમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વની વિશુદ્ધિ અનંતગુણી અધિક છે.”
[જુઓ, તત્ત્વાર્થ રાજવાર્તિક અધ્યાય ર સૂત્ર ૧, કારિકા ૧૨ નીચેની સંસ્કૃત ટીકા.]
(૧૯)
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાને સમ્યક્ત્વ પ્રગટયાનું શ્રુતજ્ઞાન વડે
બરાબર જાણે છે
પ્રશ્નઃ– પોતાને સમ્યગ્દર્શન પ્રગટયું છે તેની કયા જ્ઞાન વડે ખબર પડે?