૧૭૦ ] [ મોક્ષશાસ્ત્ર કે- “तथा जीवे निश्चयनयेन क्रमकरण व्यवधानरहितं त्रैलोक्योदर विवरणवर्ति समस्त वस्तुगतानंतधर्मप्रकाशकमखंड प्रतिभासमयं केवलज्ञानं पूर्वमेव तिष्ठति” તથા ગાથા–૨૯ ની ટીકામાં પણ કહ્યું છે કે “... अत्र स्वयं जातमिति वचनेन पूर्वोक्तमेव निरुपाधित्यं समर्थितं। तथा च स्वयमेव सर्वज्ञो जातः सर्वदर्शी च जातो निश्चयनयेनेति पूर्वोक्तमेव सर्वज्ञत्वं सर्वदर्शीत्वं च समर्थितमिति”। તથા ગાથા–૧પ૪ ની ટીકામાં કહ્યું છે કે... “समस्त वस्तुगतानंत धर्माणां युगपद्विशेष परिच्छित्ति समर्थ केवलज्ञानं”।
कालत्रयवर्ति समस्त द्रव्यगुणपर्यायाणां क्रमकरण व्यवधानरहित्वेन परिच्छित्ति समर्थ विशुद्ध दर्शन ज्ञानं च”.
(૬) સમયસારજી શાસ્ત્રમાં આત્મદ્રવ્યની ૪૭ શક્તિ કહી છે તેમાં સર્વજ્ઞત્વશક્તિનું સ્વરૂપ એવું કહ્યું છે કે, “विश्वविश्व विशेषभाव परिणतात्मज्ञानमयी सर्वज्ञशक्तिः।
અર્થઃ– સમસ્ત વિશ્વના (છયે દ્રવ્યના) વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમેલ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.”૧૦.
નોંધઃ– સર્વજ્ઞમાત્ર આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે-સંપૂર્ણ આત્મજ્ઞ થનાર, પરદ્રવ્યોને પણ સર્વથા, સર્વ વિશેષ ભાવો સહિત જાણે છે. વિશેષ માટે જુઓ-આત્મધર્મ માસિક વર્ષ-૯ અંક નં. ૮ સર્વજ્ઞત્વ શક્તિનું વર્ણન. કોઈ અસત્ કલ્પનાથી સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા માને છે તેનું તથા સર્વજ્ઞ વસ્તુઓના અનંત ધર્મોને જાણતા નથી એમ માને છે તેમનું ઉપરોક્ત કથનના આધારે નિરાકરણ થઈ જાય છે.