અ. ૨. સૂત્ર ૬ ] [ ૧૮૩ વીતરાગભાવ છે તેટલું જ ચારિત્ર છે, આ ચારિત્રને ક્ષાયોપશમિક ચારિત્ર કહેવાય છે.
સંયમાસંયમ– આ ભાવને દેશવિરત અથવા વિરતાવિરત ચારિત્ર પણ કહેવામાં આવે છે.
મતિજ્ઞાન– વગેરેનું સ્વરૂપ પહેલા અધ્યાયમાં કહેવાઈ ગયું છે ત્યાંથી જોઈ લેવું. [જુઓ, પાનું ૪૦ તથા ૮૬]
દાન–લાભ– વગેરે લબ્ધિનું સ્વરૂપ ઉપરના સૂત્રમાં કહ્યું છે, ત્યાં ક્ષાયિકભાવે તે લબ્ધિ હતી, અહીં તે લબ્ધિ ક્ષાયોપશમિકભાવે છે-એમ સમજવું. ।। પ।।
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, [लिंग] સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, [मिथ्यादर्शन] મિથ્યાદર્શન, [अज्ञान] અજ્ઞાન, [असंयत] અસંયમ, [असिद्ध] અસિદ્ધત્વ તથા [लेश्याः] કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ છ લેશ્યા-એમ [चतुः चतुः त्रि एक एक एक एक षड्भेदाः] ચાર + ચાર + ત્રણ + એક + એક + એક + એક અને છ-એ બધા મળીને ઔદયિકભાવના એકવીશ ભેદો છે.
પ્રશ્નઃ– ગતિ તો અઘાતિકર્મના ઉદયથી થાય છે, જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી છતાં તેને ઔદયિકભાવમાં કેમ ગણી છે?
ઉત્તરઃ– જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વપણું કરે છે, જેમ કે- ‘હું મનુષ્ય, હું ઢોર, હું દેવ, હું નારકી’ એમ તે માને છે. આ રીતે જ્યાં મોહભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે તેથી આ અપેક્ષાએ ગતિને ઔદયિકભાવમાં ગણેલ છે.
લેશ્યાઃ– કષાયથી અનુરંજિત યોગને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા બે પ્રકારની છે-દ્રવ્યલેશ્યા તથા ભાવલેશ્યા, અહીં ભાવલેશ્યાનો વિષય છે. ભાવલેશ્યા છ પ્રકારની છે. ‘લેશ્યા વખતે આત્મામાં તે તે પ્રકારનો રંગ થાય છે’ એમ ન સમજવું. પણ જીવના વિકારી કાર્યો ભાવઅપેક્ષાએ છ પ્રકારના થાય છે, તે ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે એ છ પ્રકારો કહ્યા છે. લોકમાં કોઈ માણસ ખરાબ કામ કરે તો ‘કાળું