Moksha Shastra (Gujarati). Sutra: 36-37 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 217 of 655
PDF/HTML Page 272 of 710

 

અ. ૨. સૂત્ર ૩૬-૩૭ ] [ ૨૧૭

ટીકા

એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને નિયમથી સમ્મૂર્ચ્છન જન્મ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ અને સમ્મૂર્ચ્છન બન્ને પ્રકારના જન્મ હોય છે એટલે કે કેટલાક ગર્ભજ હોય છે અને કેટલાક સમ્મૂર્ચ્છન હોય છે. લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યોને પણ સમ્મૂર્ચ્છન જન્મ હોય છે. ।। ૩પ।।

શરીરનાં નામો તથા ભેદ
औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणी।। ३६।।
અર્થઃ– [औदारिक वैक्रियिक आहारक तैजस कार्मणानि] ઔદારિક,

વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ [शरीराणि] એ પાંચ શરીરો છે.

ઔદારિકશરીર– મનુષ્ય અને તિર્યંચોનાં શરીર- કે જે સડે છે, ગળે છે તથા ઝરે છે તે-ઔદારિકશરીર છે; આ શરીર સ્થૂળ છે તેથી ‘ઉદાર’ કહેવાય છે. સૂક્ષ્મનિગોદનું શરીર ઇન્દ્રિયો વડે ન દેખાય, બાળ્‌યું બળે નહિ, કાપ્યું કપાય નહિ તોપણ તે સ્થૂળ છે, કેમ કે બીજાં શરીરો તેનાથી ક્રમે ક્રમે સૂક્ષ્મ છે. [જુઓ, હવે પછીનું સૂત્ર]

વૈક્રિયિકશરીર– જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારનાં રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયિક શરીર કહે છે, તે દેવ અને નારકીઓને જ હોય છે.

નોંધઃ– એ વાત લક્ષમાં રાખવી કે ઔદારિક શરીરવાળા જીવો ઋદ્ધિના કારણે જે વિક્રિયા કરી

શકે છે તે ઔદારિક શરીરનો પ્રકાર છે.

આહારક શરીર– સૂક્ષ્મપદાર્થના નિર્ણય માટે અથવા સંયમની રક્ષા વગેરે માટે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. (તત્ત્વોમાં કાંઈ શંકા થતાં કેવળી અગર શ્રુતકેવળી પાસે જવા માટે આવા મુનિના મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.

તૈજસ શરીર– જેના કારણે શરીરમાં તેજ રહે તેને તૈજસ શરીર કહે છે.
કાર્મણ શરીર– જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે.
નોંધઃ–
પહેલાં ત્રણ શરીરો આહારવર્ગણામાંથી બને છે. ।। ૩૬।।
શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન
परं परं सूक्ष्मम्।। ३७।।
અર્થઃ– પૂર્વે કહ્યાં તેનાથી [परं परं] આગળ આગળનાં શરીર [सूक्ष्मम्] સૂક્ષ્મ