૨૧૮ ] [ મોક્ષશાસ્ત્ર સૂક્ષ્મ છે અર્થાત્ ઔદારિકથી વૈક્રિયિક સૂક્ષ્મ, વૈક્રિયિકથી આહારક સૂક્ષ્મ, આહારકથી તૈજસ સૂક્ષ્મ અને તૈજસથી કાર્મણશરીર સૂક્ષ્મ છે. ।। ૩૭।।
શરીરો [असंख्येयगुणं] અસંખ્યાતગુણા છે.
ઔદારિક શરીરના પ્રદેશો કરતાં અસંખ્યાતગુણા વૈક્રિયિક શરીરના પ્રદેશો છે અને વૈક્રિયિક શરીરથી અસંખ્યાતગુણા આહારક શરીરના પ્રદેશો છે. ।। ૩૮।।
વાળાં છે અર્થાત્ આહારક શરીરથી અનંતગુણા પ્રદેશો તૈજસ શરીરમાં છે અને તૈજસથી અનંતગુણા કાર્મણ શરીરમાં પ્રદેશો છે.
આગળ આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે તેથી તે અલ્પરૂપ હોય છે. પ્રદેશો કહેતાં અહીં પરમાણુઓ સમજવા. ।। ૩૯।।
બાધારહિત છે.
આ બે શરીરો લોકના છેડા સુધી હરકોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વૈક્રિયિક અને આહારક શરીરો હરકોઈમાં પ્રવેશ કરી શકે છે પણ વૈક્રિયિક શરીર ત્રસનાલિ સુધી જ ગમન કરી શકે છે. આહારક શરીરનું