તે તે ભૂમિકાના સંબંધમાં જાણવા યોગ્ય નિમિત્તકારણ કેવું હોય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાવવાને માટે છે.
જે કોઈ જીવ ગુણસ્થાન અનુસાર યથાયોગ્ય સાધક ભાવ, બાધકભાવ અને નિમિત્તોને યથાર્થ ન જાણે તેનું જ્ઞાન મિથ્યા છે, કારણ કે તે સંબંધમાં સાચા જ્ઞાનના અભાવમાં અજ્ઞાની એમ કહે છે કે ભાવલિંગી મુનિપણું નગ્ન દિગંબર દશામાં જ હોવું જોઈએ એવું એકાન્ત નથી અર્થાત્ વસ્ત્ર સહિત મુનિપદ હોય તો બાધા નથી પણ તેની એ વાત મિથ્યા જ છે, કારણ કે ભાવલિંગી મુનિને તે ભૂમિકામાં પ્રથમના ત્રણ જાતિના કષાયોનો અભાવ હોય છે. અને સર્વ સાવધયોગ (-પાપક્રિયા) ના ત્યાગ સહિત ર૮ મૂલગુણોનું પાલન હોય છે તેથી તેને વસ્ત્રના સંબંધવાળો રાગ અથવા તે પ્રકારનો શરીરનો રાગ કદી હોતો જ નથી એવો નિરપવાદ નિયમ છે. વસ્ત્ર રાખીને પોતાને જૈનમુનિ માનનારને શાસ્ત્રમાં નિગોદ્રગામી કહ્યા છે. એ પ્રમાણે ગુણસ્થાનાનુસાર ઉપાદાન નિમિત્ત બન્નેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સાધક જીવનું જ્ઞાન એવું જ હોય છે કે જે તે તે ભેદને જાણતું થકું પ્રગટ થાય છે. સમયસાર શાસ્ત્રમાં ગા. ૧રમાં માત્ર આ હેતુથી વ્યવહારનયને તે કાળે જાણવાને માટે પ્રયોજનવાન છે એમ બતાવ્યું છે. એ રીતે બન્ને નયો જ્ઞાન કરવા માટે ઉપાદેય છે, પણ આશ્રય લેવા માટે નિશ્ચયનય ઉપાદેય અને વ્યવહારનય હેય છે.
તાકૌ ધરિ ધ્યાન આન કાહે પર હેરૈ હે ।
દેખિ તૂં સંભારિ જો અખંડ નિધિ તેરૈં હૈ ।
સમૈસાર આપ પુન્ય પાપ નાહી નેરૈ હૈ ।
અરથ વિચારિ ગુરુદેવ યૌ પરે રહૈં ।। ૮પ।।
દ્રવ્ય ભાવરૂપ દોઉ બંધકો કરતુ હૈા
કરમ જનિત તાતૈં કરમકો હેતુ મહા,
બંધ હી કો કરે મોક્ષ પંથકૌ હરતુ હૈા
આપ જૈસો કોઈ તાકૌં આપકૈ સમાન કરૈ,
બંધ હી કૌ મૂલ યાતૈં બંધકૌ ભરતુ હૈા