Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 710

 

[૨૭]
યાકૌ પરંપરા અતિ માનિ કરતૂતિ કરૈ,
તેઈ મહા મૂઢ ભવસિંધુમૈં પરતુ હૈં ।। ૮૬।।
કારણ સમાન કાજ સબ હી બખાનતુ હૈ,
યાતૈં પરક્રિયા માંહિ પરકી ધરણિ હૈ
યાહિ તૈં અનાદિ દ્રવ્ય ક્રિયા તો અનેક કરી,
કછુ નાહિં સિદ્ધિ ભઈ જ્ઞાનકી પરણિ હૈ
કરમકો વંસ જામૈ જ્ઞાનકો ન અંશ કોઉ,
બઢૈ ભવવાસ મોક્ષપંથકી હરણિ હૈ
યાતૈં પરક્રિયા તો ઉપાદેય ન કહી જાય,
તાતૈં સદા કાલ એક બંધ કી ઢરણિ હૈ
।। ૮૭।।
પરાધીન બાધાયુત બંધકી કરૈયા મહા,
સદા વિનાસીક જાકૌ એસો હી સુભાવ હૈ
બંધ, ઉદૈ, રસ, ફલ જીમૈ ચાર્યૌં એકરૂપ,
શુભ વા અશુભ ક્રિયા એક હી લખાવ હૈા
કરમકી ચેતનામેં કૈસૈં મોક્ષપંથ સધૈ,
માને તેઈ મૂઢ હીએ જિનકે વિભાવ હૈ
જૈસો બીજ હોય તાકૌ તૈસો ફલ લાગૈ જહાં,
યહ જગ માંહિ જિન આગમ કહાવ હૈ
।। ૮૮।।
શુભોપયોગના સંબંધમાં સમ્યગ્દ્રષ્ટિની કેવી માન્યતા હોય છે?

(૧પ)-શ્રી પ્રવચનસાર ગાથા ૧૧ તથા ટીકામાં ધર્મ પરિણત જીવના શુભોપયોગને શુદ્ધોપયોગથી વિરુદ્ધ શક્તિ સહિત હોવાથી સ્વકાર્ય (ચારિત્રનું કાર્ય) કરવાને માટે અસમર્થ કહેલ છે, હેય કહેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે-જ્ઞાની (ધર્મી) ના શુભ ભાવમાં પણ, કિંચિત્ માત્ર પણ શુદ્ધિનો અંશ નથી, નિશ્ચયનયે તે વીતરાગ ભાવરૂપ મોક્ષમાર્ગ નથી-બંધમાર્ગ જ છે, પણ જ્ઞાનીને (ધર્મીને) શુભભાવ હેયબુદ્ધિએ હોવાથી તેને વ્યવહારનયે વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.

પ્રશ્નઃ– કઈ અપેક્ષાએ તે કથન કર્યું છે? ઉત્તરઃ– વ્યવહાર ચારિત્રની સાથે નિશ્ચય ચારિત્ર હોય તો તે (શુભભાવ) નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવાની અપેક્ષાએ તે કથન છે. _________________________________________________________________ ૧ કરતૂતિ = શુભરાગની ક્રિયા