અ. ૨. સૂત્ર પ૧-પ૨ ] [ ૨૨પ
(૧) લિંગ-વેદ બે પ્રકારનાં છેઃ- ૧-દ્રવ્યલિંગ=પુરુષ, સ્ત્રી કે નપુંસકત્વ બતાવનારું શરીરનું ચિહ્ન; અને ર-ભાવલિંગ=સ્ત્રી, પુરુષ કે સ્ત્રી-પુરુષ બન્ને ભોગવવાની અભિલાષારૂપ આત્માના વિકારી પરિણામ. નારકી અને સમ્મૂર્ચ્છન જીવોને દ્રવ્યલિંગ અને ભાવલિંગ બન્ને નપુંસક હોય છે.
(ર) નારકી તથા સમ્મૂર્ચ્છન જીવો નપુંસક જ હોય છે કેમ કે તે જીવોને સ્ત્રી-પુરુષ સંબંધી મનોજ્ઞ શબ્દનું સાંભળવું, મનોજ્ઞ ગંધનું સૂંઘવું, મનોજ્ઞ રૂપનું દેખવું, મનોજ્ઞ રસનું ચાખવું કે મનોજ્ઞ સ્પર્શનું સ્પર્શવું એ કાંઈ હોતું નથી, તેથી થોડું કલ્પિત સુખ પણ તે જીવોને હોતું નથી, માટે નિશ્ચય કરવામાં આવે છે કે તે જીવો નપુંસક છે. ।। પ૦।।
દેવીઓને સ્ત્રીલિંગ હોય છે.
(૧) દેવગતિમાં દ્રવ્યલિંગ તથા ભાવલિંગ સરખાં હોય છે. (ર) મ્લેચ્છ ખંડના મનુષ્યો સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદને જ ધારણ કરે છે, ત્યાં નપુંસક ઊપજતા નથી. ।। પ૧।।
વેદવાળા છે.
ભાવવેદના પણ ત્રણ પ્રકાર છે-૧. પુરુષવેદનો કામાગ્નિ તૃણના અગ્નિ સમાન જલદી શાંત થઈ જાય છે, ર. સ્ત્રીવેદનો કામાગ્નિ અંગારના અગ્નિ સમાન ગુપ્ત અને કાંઈક કાળ પછી શાંત થાય છે અને ૩. નપુંસકવેદનો કામાગ્નિ ઈંટના અગ્નિ સમાન લાંબા કાળ સુધી રહે છે. ।। પ૨।।