૨૭૪ ] [ મોક્ષશાસ્ત્ર વ્યંતર અને જ્યોતિષી દેવોમાં હોતા નથી અર્થાત્ તે બે ભેદોને છોડીને બાકીના આઠ ભેદો હોય છે. ।। પ।।
(૧) ભવનવાસીના દસ ભેદ છે, તેથી તેમાં વીસ ઇન્દ્રો હોય છે. વ્યંતરોના આઠ ભેદ છે, તેથી તેમાં સોળ ઇન્દ્રો હોય છે; અને બન્નેમાં તેટલા જ (ઇન્દ્ર જેટલા જ) પ્રતીન્દ્ર હોય છે.
(ર) જે દેવ યુવરાજ સમાન અથવા ઇન્દ્ર સમાન હોય અર્થાત્ જે દેવ ઈંદ્ર જેવું કાર્ય કરે તેને પ્રતીન્દ્ર કહેવાય છે. (ત્રલોક પ્રજ્ઞપ્તિ પાનું ૧૧૮-૧૧૯).
૪૦ ભવનવાસીના-વીસ ઇન્દ્રો અને વીસ પ્રતીન્દ્રો.
૩ર વ્યંતરના-સોળ ઇન્દ્રો અને સોળ પ્રતીન્દ્રો.
ર૪ સોળ સ્વર્ગમાંથી-પ્રથમના ચાર દેવલોકના ચાર, મધ્યના આઠ દેવલોકના
ચાર અને અંતના ચાર દેવલોકના ચાર-એમ બાર ઇન્દ્રો અને બાર પ્રતીન્દ્રો.
૧ મનુષ્યમાં-ચક્રવર્તી ઇન્દ્ર.
૧ તિર્યંચમાં-અષ્ટાપદ-સિંહ ઇન્દ્ર.
૧૦૦
અર્થઃ– ઐશાનસ્વર્ગ સુધીના દેવો (અર્થાત્ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને પહેલા તથા બીજા સ્વર્ગના દેવો) મનુષ્યોની માફક શરીરથી કામસેવન કરે છે. (પ્રવીચાર = કામસેવન)